Home /News /entertainment /તુનીશા આત્મહત્યા કેસમાં શીઝાન ખાનને મળી રાહત, 1 લાખના બોન્ડ પર જામીન મળ્યા

તુનીશા આત્મહત્યા કેસમાં શીઝાન ખાનને મળી રાહત, 1 લાખના બોન્ડ પર જામીન મળ્યા

સીઝાન ખાનને 1 લાખના બોન્ડ પર જામીન મળ્યા

Tunisha Suicide Case: તુનીશા શર્મા આત્મહત્યા કેસના મુખ્ય આરોપી શીઝાન ખાનને જામીન મળી ગયા છે. શીજાન અઢી મહિનાથી થાણેની જેલમાં બંધ હતો.

પાલઘર: તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં અભિનેતા અને મુખ્ય આરોપી ટીવી અભિનેતા શીઝાન ખાનને જામીન મળી ગયા છે. સીઝાનને વસઈ કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. જોકે, શીઝાને તેનો પાસપોર્ટ આપવો પડશે.

2 માર્ચે સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય આજ માટે અનામત રાખ્યો હતો. આ કેસમાં વાલિવ પોલીસે ગયા મહિને 524 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ શીઝાન વતી ફરી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. શીઝાન છેલ્લા અઢી મહિનાથી થાણેની જેલમાં બંધ હતો.


'સાક્ષીઓ અને પુરાવા સાથે છેડછાડ નહીં કરીએ'

શીઝાનને જામીન આપતાં કોર્ટે કહ્યું છે કે, તે પુરાવા સાથે ચેડાં કરશે નહીં કે, સાક્ષીઓનો સંપર્ક કરશે નહીં. કોર્ટે શીઝાનને તેનો પાસપોર્ટ પોલીસમાં જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે. શીઝાન કોર્ટની પરવાનગી વગર વિદેશ પણ જઈ શકતો નથી.

આ પણ વાંચો : પહેલા હાર્ટ એટેક અને હવે બની આ બીમારીનો શિકાર, સુષ્મિતા સેન લાઈવમાં આંસુ લૂછતી જોવા મળી

તુનિષાએ સેટ પર જ ફાંસી લગાવી લીધી હતી

તુનીષા શર્માએ કથિત રીતે 24 ડિસેમ્બર 2022ના રોજ જિલ્લાના વાલિવ નજીક એક ટેલિવિઝન સિરિયલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. અભિનેત્રીની માતાની ફરિયાદના આધારે બીજા દિવસે શીજાનની ધરપકડ કરવામાં આવી હતી. શીજાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
First published:

Tags: Commit suicide, Tunisha Sharma

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો