Home /News /entertainment /નાગા ચૈતન્ય સાથે ડિવોર્સની જાહેરાત બાદ સમંથાએ સોશિયલ મીડિયા પર બદલ્યું પોતાનું નામ
નાગા ચૈતન્ય સાથે ડિવોર્સની જાહેરાત બાદ સમંથાએ સોશિયલ મીડિયા પર બદલ્યું પોતાનું નામ
સમન્થાની ફાઈલ તસવીર
south indian cinema news: અભિનેતા નાગાર્જુન (Nagarjuna)એ પણ ઇમોશનલ પોસ્ટ (emotional post) લખીને દુખ વ્યક્ત કર્યુ હતું. હવે અભિનેત્રીએ પતિથી પોતાનો રસ્તો અલગ કર્યા બાદ પોતાના સોશિયલ મીડિયા (social media) પર નામ પણ બદલી નાખ્યું છે.
સાઉથ ફિલ્મજગત (South Cinema)ની સૌથી લોકપ્રિય જોડી નાગા ચૈતન્યા (Naga Chaitanya) અને સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)એ તાજેજતરમાં જ પોતાના ડિવોર્સના સમાચારો (Divorce news) પર મહોર મારી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા (social media) પર એક પોસ્ટ શેર કરી પોતાના ફેન્સ સાથે આ વાત સ્વીકારી હતી. જે બાદ પિતા અને અભિનેતા નાગાર્જુન (Nagarjuna)એ પણ ઇમોશનલ પોસ્ટ (emotional post) લખીને દુખ વ્યક્ત કર્યુ હતું. હવે અભિનેત્રીએ પતિથી પોતાનો રસ્તો અલગ કર્યા બાદ પોતાના સોશિયલ મીડિયા પર નામ પણ બદલી નાખ્યું છે.
સમંથાએ નાગા ચૈતન્ય સાથે સંબધમાં બંધાયેલ હતી ત્યારે પોતાના નામની પાછળ પોતાની સરનેમ અક્કિનેની હટાવે એસ કર્યો હતો. જે પતિથી અલગ થયા બાદ હટાવી દઇને માત્ર સમંથા કરી દીધું છે. તેણે પોતાના નામમાં બદલાવ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જ કર્યો છે, ફેસબુક પર હજુ પણ તેનું નામ સમંથા અક્કિનેની (Samantha Akkineni) છે. બંનેએ અચાનક અલગ થવાનો આ નિર્ણય લેતા સૌ કોઇ અચંબિત છે.
સમંથાએ એલિમની લેવાનો કર્યો ઇન્કાર મીડિયા રિપોર્ટમાં વહેતા થયેલા અહેવાનો અનુસાર, સમંથાને અક્કિનેની પરીવાર તરફથી એલિમની તરીકે રૂ.50 કરોડ મળનાર હતા, પરંતુ તેના તરફથી સમંથાને રૂ.200 કરોડની ઓફર આપવામાં આવી હતી. જેને એક્ટ્રેસે લેવાથી મનાઇ કરી દીધી છે અને કહ્યું કે, તે અક્કીનેની પરીવાર પાસેથી એક પણ રૂપિયો લેવા માંગતી નથી.
આપને જણાવી દઇએ કે સમંથા અને નાગા ચૈતન્યએ હાલમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, અમારા તમારા શુભચિંતકો માટ. ઘણું વિચાર્યા અમે બંનેએ નિર્ણય લીધો છે કે અમે હવે પતિ-પત્ની તરીકે અલગ થઇને પોતપોતના રસ્તાઓ પસંદ કરવા જઇ રહ્યા છીએ. અમે ખુશ છીએ કે અમારી એક દાયકાથી વધુની દોસ્તી હતી, જે અમારા સંબંધનો મહત્વનો ભાગ હતી.
અમને લાગે છે આગળ પણ અમારી દોસ્તી અમારા બંને માટે ખાસ રહેશે. અમે અમારા ફેન્સ, મીડિયા અને શુભચિંતકોને અપીલ કરીએ છીએ કે આ દરમિયાન અમને પ્રાઇવસી આપે, જેથી અમે આગળ વધી શકીએ. તમારા સહયોગ માટે ધન્યવાદ.
સમંથા અને ચૈતન્યએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. તેમના અલગ થવાની અફવાઓ છેલ્લા થોડા સમયથી ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા જ્યારે સમંથા તિરૂમાલા મંદિરેથી જઇ રહી હતી તે દરમિયાન એક રીપોર્ટરે તેને ચૈતન્ય સાથે અલગ થવાની અફવાઓ અંગે પૂછ્યું હતું. ત્યારે તેણે કહ્યું કે, હું મંદિરમાં આવી છું. તમને સમજ નથી પડતી? તેનો આ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર