Home /News /entertainment /આર્યન ખાન કેસમાં તપાસ અધિકારીઓ પર સવાલ, NCBને રિપોર્ટ મોકલાયો
આર્યન ખાન કેસમાં તપાસ અધિકારીઓ પર સવાલ, NCBને રિપોર્ટ મોકલાયો
આર્યન ખાન કેસમાં તપાસ અધિકારીઓ પર સવાલ
આર્યન ખાન કેસની તપાસ દરમિયાન અન્ય કેટલાક કેસની તપાસમાં પણ ખામીઓ જોવા મળી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ તમામ કેસમાં રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. તપાસમાં કેટલાક લોકો સામે સિલેક્ટિવ હોવાનો મામલો પણ સામે આવ્યો છે. આ કેસમાં NCBના 7 થી 8 અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ છે.
નવી દિલ્હીઃ NCBની સ્પેશિયલ વિજિલન્સ ટીમે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસનો રિપોર્ટ દિલ્હી NCB ઓફિસને મોકલી આપ્યો છે. આ સાથે આ કેસમાં ઘણી ગેરરીતિ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. તપાસમાં સામેલ અધિકારીઓની ઈરાદા પર પણ સવાલો ઉભા થયા છે. આ કેસમાં 65 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. કેટલાક લોકોએ 3 થી 4 વખત તેમના નિવેદન બદલ્યા પણ છે.
આર્યન ખાન કેસની તપાસ દરમિયાન અન્ય કેટલાક કેસની તપાસમાં પણ ખામીઓ જોવા મળી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ તમામ કેસમાં રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. તપાસમાં કેટલાક લોકો સામે સિલેક્ટિવ હોવાનો મામલો પણ સામે આવ્યો છે. આ કેસમાં NCBના 7 થી 8 અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ છે, જેના માટે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. જેઓ NCBની બહાર છે તેમની સામે કાર્યવાહી કરવા વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પરવાનગી માંગવામાં આવી છે.
શું હતી ઘટના:
જણાવી દઈએ કે, મુંબઈ ક્રૂઝ કેસમાં NCBએ આર્યન ખાનને ક્લીનચીટ આપી દીધી છે. આ પછી સરકારે આ કેસની તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આર્યન ખાન ગયા વર્ષે 2 ઓક્ટોબરે ક્રૂઝ પર દરોડા દરમિયાન પકડાયો હતો અને 22 દિવસ જેલમાં વિતાવ્યા બાદ તેને જામીન મળી ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર