Home /News /entertainment /પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના સંબંધોને પરવાનગી મળી, AAP સાંસદે અભિનંદન પાઠવ્યા, કહ્યું કંઈક આવુ...

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના સંબંધોને પરવાનગી મળી, AAP સાંસદે અભિનંદન પાઠવ્યા, કહ્યું કંઈક આવુ...

AAP નેતાએ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને તેમના સંબંધો બદલ અભિનંદન પાઠવ્યા હતા. (ફોટો સૌજન્ય: Instagram @parineetichopra/raghavchadha88)

Parineeti Chopra Raghav Chaddha Relationship: આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા વચ્ચેના સંબંધોને મંજૂરી આપી દીધી છે. તેમણે બંનેને અભિનંદન પાઠવ્યા છે. જોકે, ફેન્સ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, અને પરિણીતી-રાઘવને તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

વધુ જુઓ ...
મુંબઈ : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. બંને તાજેતરમાં અલગ-અલગ લોકેશન પર સતત બે વાર સ્પોટ થયા હતા. ત્યારથી બંનેના સંબંધોની ચર્ચા થઈ રહી છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના સંબંધોની ચર્ચા વચ્ચે આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ બંનેને અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વિટર પર પરિણીતી અને રાઘવ (Parineeti Chopra Ragha Chaddha Relationship) વચ્ચેના સંબંધોની પુષ્ટિ કરી છે. સંજીવ અરોરાના ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે કે, શું પરિણીતી અને રાઘવે તેમના સંબંધોની પુષ્ટિ કરી છે કે, પછી બંનેએ સગાઈ કરી લીધી છે?

તાજેતરમાં જ જ્યારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને મીડિયા દ્વારા તેમના સંબંધો અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે બંનેએ મૌન સેવ્યું હતું. આ પછી બંનેને લગ્ન અંગે સવાલો પૂછવામાં આવ્યા તો બંનેએ કહ્યું હતું કે, તેઓ ક્યારે કરશે તે જણાવશે. પરિણીતી અને રાઘવની પુષ્ટિ પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ અભિનંદન સંદેશ આપીને બધાને ચોંકાવી દીધા હતા.

AAP સાંસદ સંજીવ અરોરાએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની તસવીર શેર કરતાં સંજીવ અરોરાએ લખ્યું, “હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે, તમે બંને પ્રેમ, ખુશી અને એકબીજાની કંપનીથી ભરપૂર હશો. મારા તરફથી શુભેચ્છાઓ. સંજીવ અરોરાએ ટ્વિટ કરતાની સાથે જ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાને લોકોએ અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો : 3 વર્ષની ઉંમરે પિતાએ છીનવી દીકરીની ખુશી, દીકરીએ જીતી મોત સામેની લડાઈ, જાણો આગ્રા એસિડ સર્વાઈવર નીતુની દર્દનાક કહાણી..

પરિણીતી-રાઘવના સંબંધો વિશે નેટીઝન્સ મૂંઝવણમાં છે

એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, "સગાઈ માટે અભિનંદન?" તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, "રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને અભિનંદન જેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવાન તમારુ ભલુ કરે. જોકે, ઘણા લોકો મૂંઝવણમાં પણ પડ્યા હતા. એક યુઝરે પૂછ્યું કે, પરિણીતી અને રાઘવને શા માટે અભિનંદન આપવામાં આવી રહ્યા છે. બંનેની સગાઈ થઈ છે કે, પછી લગ્ન થઈ ગયા છે?

પરિણીતી અને રાઘવના પરિવારના સભ્યો વચ્ચે વાતચીત શરૂ થાય છે

આ પહેલા અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પરિણીતી અને રાઘવના પરિવાર વચ્ચે લગ્નની ચર્ચા ચાલી રહી છે. આટલું જ નહીં, પરિણીતી અને રાઘવ રોકા સેરેમની દ્વારા તેમના સંબંધોની પુષ્ટિ કરી શકે છે. પરિણીતી તાજેતરમાં જ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર પણ જોવા મળી હતી. આ કારણે પરિણીતી અને રાઘવના લગ્નની ચર્ચા પણ જોરશોરથી શરૂ થઈ ગઈ હતી.
First published:

Tags: Aaam Aadmi Party, Bollywood actress, Marriage, Parineeti chopra

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો