Home /News /entertainment /Mumbai heavy rain: તારક મહેતાના સેટ ઉપર ભરાયા પાણી, મુંબઈમાં ભારે વરસાદના કારણે બે દિવસથી શૂટિંગ છે બંધ

Mumbai heavy rain: તારક મહેતાના સેટ ઉપર ભરાયા પાણી, મુંબઈમાં ભારે વરસાદના કારણે બે દિવસથી શૂટિંગ છે બંધ

જેઠાલાલ ફાઈલ તસવીર

Taarak Mehta Ka Ooltah Chashmah:ભારે વરસાદના કારણે તારક મહેતા સિરિયલના સેટમાં પાણી ભરાયા છે. જેથી શૂટિંગ કરવું શક્ય ન હતું. માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે એટલે કે 2 જુલાઈએ પણ બંધ રાખવું પડશી શકે છે.

Mumbai heavy rain: અત્યારના દિવસોમાં ગુજરાત (Gujarat monsoon) સહિત મુંબઈમાં (mumbai heavy rain) પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મુંબઈમાં ભારે વરસાદના કારણે ટીવીના પોપ્યુલર સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ (taarak mehta ka ooltah chashmah) બે દિવસથી બંધ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના કારણે તારક મહેતા સિરિયલના સેટમાં પાણી ભરાયા છે. જેથી શૂટિંગ કરવું શક્ય ન હતું. માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે એટલે કે 2 જુલાઈએ પણ બંધ રાખવું પડશી શકે છે. જોકે, મેકર્સે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

14 વર્ષથી શો રહ્યો છે સક્સેસફુલ
શો અંગે વાત કરીએ તો અત્યારે સુધીનો સૌથી લાંબો ઓનએર થનોર શો છે. શોમાં જેઠાલાલ અને દયાબેનની જોડીને દર્શકોએ ખુબ જ પસંદ કરી છે. બંનેનો મીઠો ઝગડો પણ લોકોને પસંદ આવી રહ્યો છે. જોકે, શોને અનેક કાસ્ટ મેંબર્સે અલવિદા પણ કહ્યું છે. પરંતુ અત્યારે ટીઆરપીમાં કોઈ ફેર પડ્યો નથી. અને લાંબા સમયથી સફળ શો બની રહ્યો છે.

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શોમાં નવા દયા બેન આવનારા છે. આ પાત્ર ભજવવા માટે રાખી વિજનને ફાઈનલ કરવામાં આવ્યા છે. રાખી પહેલા હમ પાંચમાં નજર આવી ચૂકી છે. આ ઉપરાં નવા નટ્ટુ કાકા પણ એન્ટ્રી થઈ શકે છે. જેનું પાત્ર કિરણ ભટ્ટ પણ નિભાવી શકે છે.

આ પણ વાંચો:-કોણ છે 'તારક મહેતા..'ના નવા નટુકાકા કિરણ ભટ્ટ? જૂના નટુકાકા સાથે છે ખાસ કનેક્શન

ગત વર્ષે દયાબેન, નેહા મેહતા, નિધિ ભાનુશાલી, ગુરુચરણ સિંહ અને ભવ્યા ગાંધી શોમાંથી ક્વિટ કર્યું છે. દરેકનું કારણ અલગ અલગ રહ્યું છે. તાજેતરમાં શૈલેશ લોઢા પણ શોને અલવિદા કહ્યું છે. એજ શૈલેશ લોઢા જે તારક મેહતા બન્યા હતા. તેમની મેકર્સ સાથે કંઈ અણગમો થયો હતો. જેના કારણે તેમણે અન્ય પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપવું જરૂરી સમજ્યા હતા. શૈલેશ લગભગ 14 વર્ષથી ટીમનો ભાગ હતો.

આ પણ વાંચોઃ-'તારક મહેતા'માં નટુકાકાની એન્ટ્રી સાથે જ હંગામો, જેઠાલાલના માથે નવી મુશ્કેલી!

નેહા મેહતા અને ગુરુચર સિંહની વાત કરીએ તો આ મામલો પેમેન્ટ ઉપર આવીને અટક્યો છે. બંનેનું કહેવું છે કે શોને અલવિદા એટલા માટે કહ્યું કારણે મેકર્સની પાસે તેમની સેલેરી ફસાયેલી છે. જે સેટલ થઈ નથી રહી. નીલા ફિલ્મ્સ પ્રોડક્શને નેહા મેહતા અને શૈલેશ લોઢાની આ વાતોને નકારી કાઢી હતી. તેમનું કહેવું છે કે તેમના ઉપર લગાવેલા આરોપો ખોટા છે.
First published:

Tags: Entertainment Enws, Tarak Mehta Ka Oolta Chashmah

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો