Lata Mangeshkar Health Update: સ્વર કોકિલા લતા મંગેશકર ડોકટરોની સતત દેખરેખ હેઠળ
Lata Mangeshkar Health Update: સ્વર કોકિલા લતા મંગેશકર ડોકટરોની સતત દેખરેખ હેઠળ
લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે
Lata Mangeshkar Health Update: લતા મંગેશકર (Lata Mangeshkar)ની તબિયત લથડી છે, તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ડૉ. પ્રતીત સમદાનીએ તેમના સ્વાસ્થ્ય વિશેની નવીનતમ અપડેટ આપી છે. તેમનું કહેવું છે કે લતા મંગેશકરની અગ્રેસિવ થેરાપી ચાલી રહી છે
સ્વર કોકિલા અને ભારત રત્ન 92 વર્ષીય લતા મંગેશકર (Lata Mangeshkar)ની હાલત અત્યંત નાજુક બની ગઈ છે. છેલ્લા 27 દિવસથી તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Breach Candy Hospital, Mumbai)માં દાખલ છે. હાલમાં જ તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યા હતા પરંતુ આજે ફરી એક વખત લતા મંગેશકરની તબિયત બગડતા તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. તેમને કોરોના અને ન્યુમોનિયાથી સંક્રમિત થયા બાદ 8 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તબીબોની ટીમ નજર રાખી રહી છે
લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને એક અપડેટ આપવામાં આવી છે. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતીત સમદાનીએ કહ્યું, “લતા મંગેશકર ICU વોર્ડમાં છે. તેએ અગ્રેસર થેરેપીમાં છે અને આ પ્રોસેસને સારી રીતે સહન કરી રહ્યા છે.” પ્રતીક સમધાની અને તેમની ટીમ સ્વર કોકિલાના સ્વાસ્થ્યની સતત કાળજી લઈ રહી છે. ફરી એકવાર લતા દીની તબિયત બગડતાં તેમને તરત જ ડોક્ટરોએ વેન્ટિલેટર પર ખસેડ્યા હતા. તેમની સારવાર માટે ડોક્ટરોની ટીમ 24 કલાક હોસ્પિટલમાં હાજર છે.
6-7 દિવસ પહેલા વેન્ટિલેટર સપોર્ટ દૂર કરવામાં આવ્યો હતો
બોલિવૂડની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરને 6-7 દિવસ પહેલા ડોક્ટરોએ વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દીધા હતા. ત્યારે ડોક્ટર પ્રતિત સમધાનીએ જણાવ્યું હતું કે, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, તેથી તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ ICUમાં તબીબી નિરીક્ષણ હેઠળ છે.
થોડા દિવસો પહેલા પણ લતા મંગેશકરની તબિયત બગડતી હોવાનું કહેવાય છે અને ત્યારબાદ તેમના પ્રવક્તાએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'લોકોમાં ખોટા સમાચાર ફેલાવવાથી હેરાન થાય છે. મહેરબાની કરીને નોંધ કરો કે, લતા દીદી સ્થિર છે. કૃપા કરીને તેમના ઝડપથી ઘરે પાછા ફરવા માટે પ્રાર્થના કરો.
લતા દીએ 13 વર્ષની ઉંમરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી
ભારતીય સિનેમાના મહાન પ્લેબેક ગાયકોમાંના એક તરીકે, લતા મંગેશકરે 1942માં 13 વર્ષની વયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. સાત દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, તેણે 'અજીબ દાસ્તાં હૈ યે', 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'નીલા આસમાન સો ગયા' અને 'તેરે લિયે' જેવા ઘણા યાદગાર ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર