Home /News /entertainment /કોમેડિયનને મુશ્કેલીમાં યાદ આવ્યો 'ધ કપિલ શર્મા શો', વિવાદ ભૂલીને કામ કરવાની વ્યક્ત કરી ઇચ્છા, જલ્દી થશે વાપસી

કોમેડિયનને મુશ્કેલીમાં યાદ આવ્યો 'ધ કપિલ શર્મા શો', વિવાદ ભૂલીને કામ કરવાની વ્યક્ત કરી ઇચ્છા, જલ્દી થશે વાપસી

Photo : Instagram@kapilsharma

Comedian Shocking Entry In The Kapil Sharma Show:'ધ કપિલ શર્મા શો'ના ફેન્સ માટે સારા સમાચાર છે. ફરી એકવાર ફેમસ કોમેડિયન કોમેડી શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. ફેમસ એક્ટરે એક ઇન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે તે આ શોને ખૂબ જ મિસ કરી રહ્યો છે. તેણે કપિલ શર્મા સાથેના વિવાદોને ફગાવી દીધા અને તેની પ્રશંસા કરી. કોમેડિયને કપિલ શર્માને મહેનતુ વ્યક્તિ ગણાવ્યો હતો.

વધુ જુઓ ...
'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) ની પહેલી સિઝન 2016 માં પ્રસારિત થઈ, ત્યારથી શોમાં નવા અને જૂના કોમેડિયન આવતા અને જતા રહ્યા, જોકે ડૉ. મશૂર ગુલાટી ઉર્ફે સુનીલ ગ્રોવર અને દાદી ઉર્ફે અલી અસગર શોમાં પાછા ફર્યા ન હતા, જેને દર્શકોએ ખૂબ જ મિસ કર્યા. સપના બનીને હસાવનાર કૃષ્ણા અભિષેક પણ છેલ્લા કેટલાક સમયથી શોથી દૂર છે, જેને 'બિગ બઝ'થી કંઇ ખાસ લોકપ્રિયતા મળી નથી. તેણે હવે 'ધ કપિલ શર્મા શો'માં પરત ફરવાની વાત કરી છે.

કૃષ્ણા અભિષેકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે 'ધ કપિલ શર્મા શો' અને તેની ટીમને મિસ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં શોમાં પરત ફરશે. એક્ટરે ખુલાસો કર્યો કે જ્યારે તે શોમાં સામેલ થવાનો હતો ત્યારે ઘણા લોકોએ તેને ચેતવણી આપી હતી કે કપિલ શર્મા પહેલા જેવો નથી રહ્યો.

આ પણ વાંચો :  સાડીનો પાલવ સરકાવીને શ્વેતા તિવારીએ લૂંટી મહેફિલ, ડીપનેક બ્લાઉઝમાં બતાવી કાતિલ અદાઓ

લોકોએ તેને કપિલ શર્મા સાથે કામ ન કરવાની સલાહ આપી હશે, પરંતુ કૃષ્ણાએ આ બધી બાબતોને અવગણીને કપિલ શર્મા સાથે કામ કર્યું અને લોકપ્રિય બની ગયો. તે કહે છે, 'કપિલ ખૂબ મહેનત કરે છે. તે લોકોને હસાવવા માટે કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે.

કૃષ્ણા અભિષેકે એ સમાચારોને ફગાવી દીધા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કપિલ શર્મા સાથે તેના મતભેદ છે. કપિલ સાથે કામ કરવાનો આનંદ વ્યક્ત કરતાં અભિનેતાએ કહ્યું, 'અમે ટૂંક સમયમાં સાથે જોવા મળીશું.' કૃષ્ણા કપિલનું ખૂબ સન્માન કરે છે. જણાવી દઈએ કે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેકે તેમની સફર 'કોમેડી સર્કસ'થી શરૂ કરી હતી.

આ પણ વાંચો :  Kisi Ka Bhai Kisi Ka Jaan : ટીઝરમાં સલમાન સાથે શહેનાઝ ગિલની ઝલક, ફેન્સને પસંદ આવ્યો 'પંજાબની કેટરિના'નો લુક

એક્ટરે વધુમાં કહ્યું, 'અમે લગભગ 4 વર્ષ સુધી એકબીજાની સંભાળ લીધી. લોકડાઉન દરમિયાન કામ કરતી વખતે અમે જે પરિસ્થિતિઓનો સામનો કર્યો તે અમે જાણીએ છીએ. કોન્ટ્રાક્ટને લઈને થોડી સમસ્યા હતી, પરંતુ કપિલ સાથે કોઈ અણબનાવ નથી. દર્શકો ક્રિષ્નાને ફરીથી શોમાં સપના બ્યુટી પાર્લરની જવાબદારી સંભાળતા જોવા માટે ઉત્સુક છે. લોકો સુનીલ ગ્રોવરને પણ મશહૂર ગુલાટીના રોલમાં જોવા માંગે છે, જેની સાથે કપિલ શર્માની લડાઈ ઘણા વિવાદોમાં રહી હતી.



39 વર્ષીય કૃષ્ણા અભિષેકે 'નચ બલિયે 3' અને 'ઝલક દિખલા જા 4' જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે. તેણે 'ઓએમજી! યે મેરા ઈન્ડિયા', 'કોમેડી નાઈટ્સ બચાઓ' જેવા શો હોસ્ટ કર્યા છે. તેમની પત્ની કાશ્મીરા શાહ બોલિવૂડની જાણીતી હસ્તી છે. કપલ આજે બે બાળકોના માતા-પિતા છે.
First published:

Tags: Kapil Sharma, Krishna Abhishek, Latest TV News, The kapil sharma show

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો