Home /News /entertainment /KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર
KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર
File Photo
Karishma Kapoor Birthday: છૂટાછેડા લીધાનાં ચાર વર્ષ બાદ કરિશ્માએ તેનાં લગ્ન અંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, પતિ સંજયે હનીમૂન દરમિયાન તેનાં મિત્રો સાથે મારી બોલી લગાવી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : આજે કરિશ્મા કપૂરનો 47મો જન્મ દિવસ (Karishma Kapoor Birthday)છે. ત્યારે તેનાં જન્મ દિવસે ચાલો તેનાં જીવનનાં તે ચેપ્ટર પર એક નજર કરીએ જેમાં તેણે ઘણી યાતના સહન કરી છે. આ છે તેનું લગ્ન જીવન. પૂર્વ પતિ સંજય કપૂર પર કરિશ્મા કપૂરે ઘણાં આરોપો લગાવ્યાં હતાં. કરિશ્મા કપૂર અને સંજયનાં લગ્ન 11 વર્ષ ચાલ્યાં. આ દરમિયાન ઘણી એવી ઘટનાઓ બની જ્યારે પાણી માથેથી ઉપર ચઢી ગયુ હતું. જે બાદ બંનેએ અલગ થવાનો નિર્ણયલ લીધો હતો.
છૂટાછેડા બાદ કરિશ્મા અને સંજય બંને એકબીજા પર ઘણાં આરોપો લગાવ્યાં. કરિશ્માએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સંજયે તેની સાથે ફક્ત પૈસા માટે લગ્ન કર્યા હતાં. તે તેને એક ટ્રોફી પત્નીની જેમ તેની હાઇક્લાસ સોસાયટીમાં રાખતો હતો. કરિશ્માએ કહ્યું હતું કે, તેને એક સમયે એક ડ્રેસ ફિટ નહોતો આવતો. પણ તેની સાસુ ઇચ્છતી હતી કે તે આ ડ્રેસ જ પહેરે. તેનાં પર સંજયે તેની માતાને કહ્યું હતું કે, તે તેને એક થપ્પડ કેમ નથી મારતી. સંજયની મા તેને આવું બધુ કરવાં પર રોકવાને બદલે તેને વધુ ઉષ્કેરતી હતી.
કરિશ્માએ એમ પણ કહ્યું કે, સંજય લગ્ન પહેાલં તેનાં ભાઇ સાથે બેસને હિસાબ લગાવતો હતો કે,કરિશ્મા કેટલાં રૂપિયા લઇને આવશે. એક વખત લગ્ન પહેલાં સંજયની માતાએ કરિશ્માનાં પિતાને રડાવી દીધા હતાં. કરિશ્મા ત્યારથી જ લગ્ન તોડી નાંખવા ઇચ્છતી હતી. પણ બાદમાં તે સંજય અને તેનો પરિવારનાં ઝાંસામાં આવી ગઇ હતી.
કરિશ્માએ એક ઇન્ટરવ્યૂમાં તેમ પણ કહ્યું હતું કે, 'જ્યારે તેઓ હનીમૂન પર ગયા હતાં ત્યારે પતિ સંજયે હનીમૂન દરમિયાન તેનાં મિત્રો સાથે મારી બોલી લગાવી હતી. અને કરિશ્માને તેનાં મિત્રો સાથે એક રાત વિતાવવાં મજબૂર કરી હતી.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર