એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝમ (Nepotism) મુદ્દે ચર્ચાઓ વધી ગઇ છે. આ વચ્ચે ઘણાં સ્ટાર કિડ્સની સાથે સાથે ફિલ્મ મેકર કરન જોહર પણ ખરાબ રીતે ઘેરાયો છે. નેપોટિઝમ મુદ્દે કરન જોહર પર પહેલાં પણ ઘણી વખત હુમલા થયા છે, પણ સુશાંતનાં નિધન બાદ લોકોએ તેને વધારે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં સુશાંતની આત્મહત્યાનાં સમાચારે કરનને હચમચાવી નાંખ્યો છે. જે બાદ ટ્રોલિંગને કારણે તે સંપૂર્ણ તૂટી ગયો છે. તે આખો દિવસ રડ્યાં કરે છે. તે વિશે તેનાં નજીકનાં મિત્રએ ખુલાસો કર્યો છે.
હમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા કરન જોહરે સુશાંતનાં નિધન બાદ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક પણ પોસ્ટ શેર કરી નથી. ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણાં લોકો દ્વારા તેને અનફોલો કર્યાની ખબર પણ સામે આવી છે. હવે બોલિવબડ હંગામાની રિપોર્ટ પ્રમાણે, કરન જોહરનાં ખાસ મિત્રએ હાલમાં તેની પરિસ્થિતિ વિશે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, કરન જોહર સંપૂર્ણ તૂટી ગયો છે. ટ્રોલર્સની વાતોથી તે પહેલાં પ્રભાવિત નહોતો થયો. જેટલું તે સુશાંત સિંઘ રાજપૂતનાં નિધન બાદ થયો છે. સોશિયલ મીડિયા પર થઇ રહેલી ટ્રોલિંગે તેનાં સ્વાસ્થ્ય પર પણ અસર પાડી છે.
આ રિપોર્ટની માનીયે તો, કરન જોહરનાં મિત્રનું કહેવું છે કે, તે વધારે પરેશાન એટલે છે કારણ કે તેનાંથી જોડાયેલાં ઘણાં લોકોએ તેની ઉપર હુમલો કર્યો છે. તેનાં 3 વર્ષનાં જોડકા બાળકોને જીવથી મારી નાંખવાની ધમકી મળી છે. અનન્યા પાંડે જેવાં લોકો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યાં છે.
મિત્રનાં કહેવા મુજબ, કરન જોહર હવે બહુ બોલતો નથી.. તે લડવાનું ભૂલી ગયો છે. અને એક બિચારો કિસ્મતનો માર્યો વ્યક્તિ થઇ ગયો હોય તેવું લાગે છે. જ્યારે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવે તો રડી પડે છે. તે રડતા રડતા પુછે છે કે તેણે એવું તે શું કર્યુ કે તેને આ બધુ ભોગવવું પડી રહ્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર