Home /News /entertainment /ભગવાન ભરોસે બોલિવૂડના ખાન્સ, તિલક-ટોપી સાથે દેખાયો આમિર તો કિંગ ખાન વૈષ્ણોદેવીના શરણે

ભગવાન ભરોસે બોલિવૂડના ખાન્સ, તિલક-ટોપી સાથે દેખાયો આમિર તો કિંગ ખાન વૈષ્ણોદેવીના શરણે

ફોટોઃ @iamsrk

ન્ટરનેટ પર ચાલી રહેલા બાયકોટ અભિયાનના કારણે હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ જઈ રહી છે. છેલ્લા થોડા સમયમાં ઘણી મોટા બજેટની ફિલ્મો ફ્લોપ થઈ છે. ત્યારે શાહરુખ ખાને પોતાની ફિલ્મ પઠાણ માટે ભગવાનનો સહારો લીધો છે. રવિવારે તેણે વૈષ્ણોદેવી મંદિરના દર્શન કર્યા હતાં.

વધુ જુઓ ...
    મુંબઈઃ બોલિવૂડની મોટાભાગની ફિલ્મો થોડા સમયથી બોક્સ ઓફિસ પર ધોવાઈ રહી છે. તેથી, બોલિવૂડમાં ચિંતાનું તાપમાન પણ વધતું જોવા મળી રહ્યુ છે. તમામ એક્ટર અને એક્ટ્રેસ પોતાની ફિલ્મના પ્રમોશન માટે સખત મહેનત કરી રહ્યા છે. ત્યારે, બોલિવૂડના કિંગ ખાને રવિવાર રાત્રે માતા વૈષ્ણો દેવીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. થોડા દિવસ પહેલા શાહરૂખ મક્કા ગયો હતો.

    આવતા મહિને શાહરૂખની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. બીજી તરફ ઈન્ટરનેટ પર આ ફિલ્મ બાયકોટ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. જેથી આ વિરોધને શાંત કરવા શાહરૂખ માતા વૈષ્ણો દેવીના મંદિરે ગયો હોવાનું માનવામાં આવે છે.

    આ પણ વાંચોઃ  બિકીની બાદ જાહ્નવીના કેઝ્યુઅલ લુકે સોશિયલ મીડિયા પર લગાવી આગ

    અહીં નોંધનીય છે કે, ઈન્ટરનેટ પર ચાલી રહેલા બાયકોટ અભિયાનના કારણે હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ જઈ રહી છે. છેલ્લા થોડા સમયમાં ઘણી મોટા બજેટની ફિલ્મો ફ્લોપ થઈ છે. આવી સ્થિતિમાં બોલીવૂડના કલાકારો બહુમતી સમાજને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.

    આમિર ખાનના પૂજા પાઠના ફોટા વાયરલ


    હાલમાં જ ફિલ્મ અભિનેતા આમિર ખાન પોતાના ઘરમાં પૂજા-અર્ચના કરતો હોવાની તસવીરો પણ વાયરલ થઇ હતી. સોમવારે તેની ફિલ્મનું એક ગીત પણ રિલીઝ થઈ રહ્યું છે. શાહરૂખ રવિવારે મોડી રાત્રે પોતાના કેટલાક સાથીઓ સાથે વૈષ્ણોદેવી બિલ્ડિંગ પહોંચ્યો હતો અને માતાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. આ પહેલા તે મોડી રાત્રે કટરાની હોટલમાં પહોંચ્યો હતો અને થોડો સમય આરામ કર્યા બાદ વાહનમાં સવાર થઈને નવા તારાકોટ રોડ પરથી આદિકુંવરી ગયો હતો.

    આ પણ વાંચોઃ હોલિવૂડની એક્ટ્રેસથી પ્રેરિત થઈ વાણીએ તમામ હદ કરી પાર, કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ

    લોકો ઓળખે નહીં તે માટે શાહરૂખે ચહેરા પર માસ્ક પહેર્યું


    ત્યાંથી તેઓ કારમાં બેસીને બિલ્ડિંગ સુધી ગયા હતા. લગભગ 11:30 વાગ્યે તેઓ વૈષ્ણો દેવી ભવન પહોંચ્યા અને સીધા જ પવિત્ર ગુફામાં માં વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે ગયા હતા. શાહરૂખ ખાને પોતાના અન્ય સાથીઓ સાથે માતા વૈષ્ણોદેવીના ચરણોમાં પૂજા-અર્ચના કરી હતી. તે રાત્રે કટરા હોટલમાં પરત ફરીને સોમવારે સવારે પરત ફરવાનો હતો. લોકો ઓળખી ન જાય તે માટે શાહરૂખે ચહેરા પર માસ્ક પહેર્યું હતું.

    ફિલ્મની સફળતા બાબતે શાહરૂખ ખાન પર સતત દબાણ


    શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. શાહરુખ ખાન પોતાની રિલીઝ પહેલા ઘણા ધાર્મિક સ્થળો પર પઠાણને બૉક્સ ઑફિસ પર હિટ બનાવવા માટે પ્રાર્થના કરી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા શાહરૂખ ખાને 2 ડિસેમ્બરના રોજ સાઉદી અરબના પવિત્ર ધાર્મિક શહેર મક્કામાં ઉમરાહ પણ કર્યું હતું. શાહરૂખ ખાનનો તે વિડીયો પણ ઘણો વાયરલ થયો હતો.

    બોક્સ ઓફિસ પર સતત ઘણી ફિલ્મો ફ્લોપ રહેવાના કારણે આ સમયે પોતાની નવી ફિલ્મોની સફળતાને લઇને શાહરૂખ ખાન પર સતત દબાણ વધી રહ્યું છે.
    First published:

    Tags: Aamir khan, Bollywood બોલિવૂડ, Entertainment news, Shahrukh Khan, આમિર ખાન, શાહરુખ ખાન

    विज्ञापन