Home /News /entertainment /‘સંબંધો દિલ પર લખાય છે’, પૂજા ભટ્ટનું ટ્વીટ થયું વાયરલ, શું આમિર-કિરણના છૂટાછેડાની તરફ છે ઈશારો?

‘સંબંધો દિલ પર લખાય છે’, પૂજા ભટ્ટનું ટ્વીટ થયું વાયરલ, શું આમિર-કિરણના છૂટાછેડાની તરફ છે ઈશારો?

પૂજા ભટ્ટે ટ્વીટ કરીને લખ્યું કે, ‘સંબંધો કાગળો પર નથી બનતા, સંબંધો દિલ પર લખાય છે’

પૂજા ભટ્ટે ટ્વીટ કરીને લખ્યું કે, ‘સંબંધો કાગળો પર નથી બનતા, સંબંધો દિલ પર લખાય છે’

મુંબઈ. આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao)ના છૂટાછેડાની સત્તાવાર જાહેરાતથી દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મૂકાઈ ગયું છે. બંનેએ લગ્નના 15 વર્ષ બાદ છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. આમિર ખાને પહેલી પત્ની રીના દત્તાથી અલગ થયા બાદ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા અને હવે બંને અલગ થઈ રહ્યા છે. આ દરમિયાન અનેક સેલેબ્સ તેમના છૂટાછેડા પર ખુલીને બોલતા જોવા મળી રહ્યા છે. આમિર-કિરણના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા બાદ ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટ (Pooja Bhatt)એ ટ્વીટ કર્યું છે. જોકે, તેણે ટ્વીટમાં આમિર અને કિરણનું નામ નથી લીધું.

પૂજા ભટ્ટે બે ટ્વીટ કર્યા છે. તેણે પહેલા ટ્વીટમાં લખ્યું કે, પતિ અને પત્નીના રૂપમાં અલગ થવાનો નિર્ણય કર્યા બાદ પેરેન્ટિંગ વિશે વિચારવું કંઈ નવું નથી. સંબંધો કાગળો પર નથી બનતા. સંબંધો દિલ પર લખાય છે. લગ્નમાં ભંગાણ થયા બાદ પણ સન્માનના આધાર પર સંબંધો કાયમ રાખવા માટે ઈમાનદારીની જરૂર હોય છે. થોડાક લોકો જ તેને મેનેજ કરી શકે છે.

આ પણ જુઓ, સપના ચૌધરીને ટક્કર આપી રહી છે સંગીતા ચૌધરી, ‘બુલબુલ જૈસો બચ્ચા’ પર કર્યો જોરદાર ડાન્સ

પૂજા ભટ્ટે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે, મોટાભાગના લગ્ન ખૂબ જ ખરાબ રીતે ખતમ થાય છે. જે નથી થતા તેમને એક વિસંગતિના રુપમાં જોવામાં આવે છે. લોકો દયા અને કરૂણાથી વધુ કડવાશ અને ઘૃણાને સમજે છે અને સ્વીકાર કરે છે. આ જ કારણ છે કે મોટભાગના લોકો પોતાના વિશે સત્યનો સામનો કરવાને બદલે ખોટું બોલે છે. પૂજાના આ ટ્વીટ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને આમિર-કિરણના છૂટાછેડા સાથે જોડી રહ્યા છે.


આ પણ જુઓ, મંદિરા બેદીના પતિ રાજ કૌશલના નિધન બાદ સામે આવ્યા તેમના લગ્નના 22 વર્ષ જૂના PHOTOS

નોંધનીય છે કે, આમિર ખાન અને કિરણ રાવના લગ્ન 2005માં થયા હતા. તેમના લગ્નને 15 વર્ષ થઈ ચૂક્યા હતા અને તેઓ 9 વર્ષના દીકરા આઝાદના માતા-પિતા છે. આમિર અને કિરણ પરસ્પરની સહમતિ બાદ અલગ (Aamir Khan Kiran Rao Divorce) થયા છે. તેમણે પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું છે કે તેઓ આવનારા સમયમાં એક સાથે પોતાના દીકરાનો ઉછેર કરીશું. આ ઉપરાંત તેઓ બંને પોતાના પ્રોજેક્ટ્સ ઉપર પણ એક સાથે કામ કરતા રહેશે.
First published:

Tags: Aamir khan, Divorce, Kiran rao, Pooja Bhatt, Social media, Twitter, Viral news, બોલીવુડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો