Home /News /entertainment /મલ્ટીપ્લેક્સોમાં અક્ષયની હાલતથી ગભરાયા પ્રોડ્યુસર, નવ ફ્લોપ ફિલ્મો બાદ દસમી ઓટીટી પર થશે રિલીઝ

મલ્ટીપ્લેક્સોમાં અક્ષયની હાલતથી ગભરાયા પ્રોડ્યુસર, નવ ફ્લોપ ફિલ્મો બાદ દસમી ઓટીટી પર થશે રિલીઝ

થિયેટરમાં નહીં રિલીઝ થાય ઓ માય ગોડ 2

2020માં લક્ષ્મી અને બેલ બૉટમથી અક્ષય કુમારની ફ્લોપ ફિલ્મોનો સિલસિલો શરુ થયો હતો. તે અતરંગી રે, બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષાબંધન, કઠપુતલી, રામ સેતુથી સેલ્ફી સુધી ફ્લોપનો સિલસિલો યથાવત છે. પરિણામ એ આવ્યુ છે કે હવે અક્ષયની આવનારી ફિલ્મ ઓ માય ગોડ સીધી ઓટીટી પર આવશે.

વધુ જુઓ ...
મુંબઈ: અક્ષય કુમારે તેની 40 વર્ષથી વધુના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવવાળા સમય જોયા છે. પરંતુ, છેલ્લા થોડા વર્ષોથી ફક્ત ઉતાર જ જોવા મળી રહ્યા છે. એક બાદ એક તેની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. એવું નથી કે ફક્ત થિયેટરોમાં લોકો તેને જોવા નથી જઈ રહ્યા, પરંતુ ઓટીટી પર રીલિઝ થનારી ફિલ્મોને પણ નકારવામાં આવી રહી છે. તેની અસર તેની આવનારી ફિલ્મ પર પણ જોવા મળી રહી છે. મીડિયામાં આવી રહેલી ખબર અનુસાર અક્ષયની ફિલ્મ ઓ માય ગૉડ 2ને નિર્માતાઓ દ્વારા થિયેટરમાં રિલીઝ ના કરવાનો નિર્ણય લીધો છે. અક્ષયની છેલ્લી ફિલ્મ સેલ્ફીનો થિયેટરમાં ખૂબ જ ખરાબ હાલ થયો હતો. આશરે 250 કરોડનીજ ફિલ્મ માત્ર સોળ કરોડ રુપિયા જ કમાઈ શકી.

શું ઓટીટી પર મળશે દર્શક?

ખબર મળી રહી છે કે ઓહ માય ગોડ આગામી દિવસોમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ બે OTT પ્લેટફોર્મ Jio અને Voot પર એકસાથે રિલીઝ થશે. આ પ્લેટફોર્મ્સે ઓહ માય ગોડના ડાયરેક્ટ-ટુ-ડિજિટલ રિલીઝના અધિકારો પ્રાપ્ત કર્યા છે. આ ફિલ્મ 2012ની હિટ ફિલ્મ ઓહ માય ગોડની ફ્રેન્ચાઇઝી છે, જેનું નિર્દેશન ઉમેશ શુક્લાએ કર્યું હતું. નિર્માતાઓ અને OTT આશા ​​રાખે છે કે ઓહ માય ગોડ 2 મોટી સંખ્યામાં દર્શકો ઘરે બેસીને જોશે કારણ કે 2012ની ફિલ્મની બ્રાન્ડ વેલ્યુ છે. આ ગયા વર્ષે દ્રશ્યમ 2 ના કિસ્સામાં જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં, જ્યારે દર્શકો અક્ષયની ફિલ્મ જોવા માટે થિયેટરમાં નથી જતા, તો ઓછામાં ઓછું તેઓ મોબાઇલ પર ફિલ્મ જોશે.

આ પણ વાંચોઃ બાળકોના ફોટો સાથે દિલજીતે દોરાવી ક્યુટ મ્હેંદી, ફંક્શનમાં જ નિખિલ સાથે થઈ રોમાન્ટિક

સંવેદનશીલ હશે મુદ્દો

ઓહ માય ગોડ એક કોમેડી હતી જેણે ધાર્મિક દંભ અને અંધશ્રદ્ધાના સંવેદનશીલ વિષયને સામે લાવ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કોમર્શિયલ સફળતા મેળવી હતી. પણ એ જમાનો જુદો હતો. આ સમયે, નિર્માતાઓને એ પણ ડર છે કે ફિલ્મ દ્વારા કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ મનોજ બાજપાયેને 'ચરસી ગંજેડી' કહેવું પડ્યુ ભારે, અરેસ્ટ વોરંટ બાદ શું જેલના સળિયા ગણશે KRK?



કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે ઓ માય ગાય 2નો મુદ્દો સેક્સ એજ્યુકેશન સાથે સંબંધિત છે. વાર્તા ઉજ્જૈનની છે અને અક્ષય કુમાર ભગવાન શંકરની ભૂમિકામાં જોવા મળશે. ઓહ માય ગોડ 2નું નિર્દેશન અમિત રાયે કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને એશા દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. દરમિયાન, અક્ષય લંડનમાં બડે મિયાં છોટે મિયાંના શૂટિંગમાં વ્યસ્ત છે.
First published:

Tags: Akshay Kumar News, બોલીવુડ

विज्ञापन