મુંબઇ : ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાથી લાઇમ લાઇટમાં આવનારએક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને પોતાનો જીવ લીધો છે. 34 વર્ષનાં સુશાંત ડિપ્રેશનમાં પણ હતા. આ સમાચાર આવ્યાં બાદ તમામ લોકોને મોટો ઝટકો લાગ્યો છે. સુશાંતનો પરિવાર પણ આ ખબર સાંભળીનો ઘણો જ દુખમાં છે. હજી સુશાંતના આપધાતનું કોઇ કારણ સામે આવ્યું નથી.
આ પણ વાંચો - સુશાંત સિંહ રાજપૂતનુ મોત, છેલ્લી પોસ્ટમાં માતા સાથેના ફોટામાં લખ્યું હતું, 'આંશુઓ સાથે બધું ઉડી રહ્યું છે'
સુશાંતસિંહ રાજપૂત પટનાના રહેવાસી હતા. તેઓ મુંબઇનાં બાંદ્રામાં એકલા જ રહેતા હતા. સુશાંતનાં નોકરે પોલીસને જાણ કરી. પોલીસ પણ સુશાંત સિંહનાં ઘરમાં તપાસ કરી રહી છે અને પાડોશીઓની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ પટનામાં તેમના પરિવારનો હાલ પણ ઘણો જ ખરાબ છે. તેમના પિતા કે.કે સિંહ પણ પટનામાં જ રહે છે. તેમને જ્યારે ફોન પર સુશાંતની ખબર મળી તો તેઓ કંઇ જ બોલવા લાયક ન હતાં. હાલ તેઓ અને આખો પરિવાર સદમામાં છે. પરિવાર આંશું રોકી નથી શકતા.
આ પણ વાંચો - બોલિવૂડ એક્ટર સુશાંતસિંહેની ગળેફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી મળી લાશ, આપઘાતની આશંકા
આ પણ જુઓ -
પ્રાથમિક ખબર પ્રમાણે, સુશાંત છેલ્લા ૬ મહિનાથી ડિપ્રેશનમાં હતાં. આખા બોલિવૂડ સાથે તેમના જાણતા તમામ લોકો હાલ આ સમાચારથી સદમામાં છે.
Published by:Kaushal Pancholi
First published:June 14, 2020, 16:35 pm