Home /News /entertainment /કેન્સરની સારવાર કરાવી 11 મહિના બાદ ઘરે પરત ફર્યા ઋષિ કપૂર

કેન્સરની સારવાર કરાવી 11 મહિના બાદ ઘરે પરત ફર્યા ઋષિ કપૂર

ઋષિ કપૂર છેલ્લા એક વર્ષથી ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહ્યા હતા.

ઋષિ કપૂર છેલ્લા એક વર્ષથી ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહ્યા હતા.

બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂર કેન્સરની સારવાર લઈ દેશ પરત ફર્યા છે. ઋષિ કપૂર મોડી રાત્રે મુંબઇ એરપોર્ટ પર દેખાયા હતા. છેલ્લા એક વર્ષથી તે ન્યૂયોર્કમાં સારવાર માટે હતા. લાંબા સમયથી પોતાના ઘરને યાદ કરી રહેલા ઋષિ કપૂરના ચહેરા પર દેશ પરત ફરવાનો આનંદ જોવા મળ્યો. નીતુ અને ઋષિ એક બીજાના હાથ પકડીને એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યાં. બંનેના ચહેરા પરના પોતાના હોવાનું સ્મીત જોવા મળ્યું હતું. હોસ્પિટલમાં અનેક દિવસોની જહેમત બાદ તેના ચહેરા પર રાહતની ચમક જોવા મળી હતી.

ન્યૂયોર્કથી લાંબા સમય પછી મુંબઇ પરત ફરતાં ઋષિ કપૂરે સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું કે, 'ઘર વાપસ, !!!!!! 11 મહિના 11 દિવસ! તમારો આભાર!



ઋષિ કપૂરે જે એક વર્ષ ઘરથી દૂર રહ્યા છે. એ દરમિયાન તેમના પરિવારમાં અનેક ઘટના બની હતી, પરંતુ ત્યારબાદ તે પરિવાર સાથે રહી શક્યા ન હતા. 1 ઓક્ટોબર 2018ના રોજ તેમની માતા કૃષ્ણા રાજ કપૂરનું નિધન થયું હતું. ન્યૂયોર્કમાં સારવાર લઈ રહેલા ઋષિ કપૂર તેમના અંતિમ સંસ્કાર માટે પણ પહોંચી શક્યા ન હતા.








View this post on Instagram





Welcome back ❤❤❤ #rishikapoor #neetusingh #airportdiaries #viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on





માતાના મૃત્યું ઉપરાંત તેના પરિવારનો વારસો આર કે સ્ટૂડિયો પણ વેચ્યો હતો. તે દરેક માટે એક આંચકો હતો. ઋષિ એક વર્ષથી ઘરથી દૂર હતા. તે તેની નોકરી ચૂકી ગયા, પરંતુ તેના પરિવાર અને નજીકના મિત્રોએ તેને ક્યારેય એકલો અનુભવ કરાવ્યો નથી.



તેમનો દીકરો રણબીર અને પુત્રી રિદ્ધિમા હંમેશાં તેમની પાસે ન્યૂયોર્કમાં જતાં હતાં. તેમના પરિચિતો અને નજીકના સંબંધીઓ પણ તેમને સમય સમય પર મળતા. હવે જ્યારે ઋષિ તમામની વચ્ચે તેમના દેશ પરત ફર્યા છે તો આ બધા માટે ખુશીની ક્ષણ હશે.
First published:

Tags: ENT, Rishi Kapoor, મુંબઇ એરપોર્ટ