Home /News /dharm-bhakti /Vidur Niti: સૌભાગ્યશાળી હોય છે આ મહિલાઓ જેને મળે છે આવો પતિ, સ્વર્ગનું સુખ ભોગવે છે ધરતી પર

Vidur Niti: સૌભાગ્યશાળી હોય છે આ મહિલાઓ જેને મળે છે આવો પતિ, સ્વર્ગનું સુખ ભોગવે છે ધરતી પર

સૌભાગ્યશાળી હોય છે આ મહિલાઓ જેને મળે છે આવો પતિ

Vidur Niti for Life: સારો અને ગુણી પતિ મળવું સૌભાગ્યની વાત છે. વિદુર નીતિમાં એવી મહિલાઓને ખુબજ સૌભાગ્યશાળી માનવામાં આવે છે જેનો પતિમાં આ ખાસ વાત હોય છે.

Vidur Niti for Married Life: મહારાજ વિદુર મહાભારત કાળનાં પ્રમુખ પાત્રોમાંથી એક છે. તે મહાન રાજનીતિજ્ઞ, વિવેકશીલ અને બુદ્ધિમાન હતાં. તેમની બનાવવામાં આવેલી નીતિઓ સફળ જીવન મેળવવાં માટે ખુબજ મદદગાર હોય છે. મહાત્મા વિદુરની નીતિયો વિદુર નીતિનાં નામથી પ્રચલિત છે. અને તેમાં જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી છે. વિદુર નીતિમાં ઉત્તમ પુરુષનાં લક્ષમમાં કહેવામાં આવ્યું છે કે, એવો વ્યક્તિનો સાથ મેળવનારી મહિલાઓ ખૂબ જ સૌભાગ્યશાળી હોય છે. ચાલો જાણીએ સારા પતિનાં લક્ષણ.

પરોપકારી-


વિદુર નીતિ અનુસાર, પરોપકારીનો પૃથ્વીથી સ્વર્ગ સુધી આદર થાય છે. આવા વ્યક્તિને હંમેશા સન્માન મળે છે અને તેના સારા કાર્યોથી તેને ઘણી ખ્યાતિ મળે છે. જે પત્નીને આવો પતિ મળે છે તે ખૂબ જ ભાગ્યશાળી છે.
ઇમાનદાર અને ચરિત્રવાન

પ્રમાણિક બન  એ વ્યક્તિનો શ્રેષ્ઠ ગુણ છે. આવા ચારિત્ર્યવાન વ્યક્તિના સમગ્ર પરિવારને સમાજમાં સન્માન મળે છે. તેના બાળકો પણ તેને અનુસરે છે અને સંસ્કારી અને પ્રમાણિક બને છે. જે સ્ત્રીને આટલો સારો પતિ અને બાળકો મળે છે તેનું જીવન હંમેશા સુખી રહે છે
ધાર્મિક અને દાનવીર

દાન આપવું એ પૈસાનો શ્રેષ્ઠ ઉપયોગ કહેવાય છે. જે વ્યક્તિ પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવાની સાથે દાન અને ધર્મમાં રહે છે, તેનું પુણ્ય ઘણી પેઢીઓ સુધી રહે છે. તે પરિવાર પર હંમેશા દેવી-દેવતાઓની કૃપા રહે છે અને સુખ-સમૃદ્ધિની ક્યારેય કમી નથી આવતી. આવા પુરુષને પતિ મળવાથી સ્ત્રીનું જીવન સમૃદ્ધ થાય છે, તે પૃથ્વી પર જ સ્વર્ગ જેવું સુખ ભોગવે છે.
First published:

Tags: Mahabharat

विज्ञापन