Vastu Tips: ઘરમાં સિંહની પ્રતિમા રાખવાથી આવશે સુખ-સમૃદ્ધિ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
Vastu Tips: ઘરમાં સિંહની પ્રતિમા રાખવાથી આવશે સુખ-સમૃદ્ધિ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
ઘરમાં સિંહની મૂર્તિ રાખવી કે નહીં
Vastu Tips: જો તમે ઘરમાં સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો, તો તમે ઘરમાં પિત્તળનો સિંહ રાખી શકો છો. કોઈપણ પ્રકારના વાસ્તુ દોષથી બચવા માટે તેને મૂકતા પહેલા તમારે યોગ્ય દિશાનું ધ્યાન રાખવું જોઈએ.
ધર્મ ભક્તિ ડેસ્ક: ઘરમાં ઘણી વસ્તુઓ વાસ્તુ અનુસાર રાખવાથી લાભ મળે છે. વાસ્તુ અનુસાર ઘરમાં વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષોથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વસ્તુઓને વ્યવસ્થિત રીતે રાખવા માટે યોગ્ય દિશા અને સ્થળની પસંદગી વાસ્તુશાસ્ત્ર સાથે સંબંધિત છે. હિન્દુ ધર્મમાં એવી ઘણી વસ્તુઓ છે જેને વાસ્તુ અનુસાર રાખવી જરૂરી માનવામાં આવે છે. આવી જ એક બાબત સિંહની પ્રતિમા કે મૂર્તિ રાખવાની સાચી દિશા અને રીત સાથે સંકળાયેલી છે.
શું સિંહની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ?
સિંહની પ્રતિમા કઈ ધાતુની હોવી જોઈએ? જો તમે ઘરમાં સિંહની પ્રતિમા રાખો છો તો તેની સાચી દિશા શું છે? આવા અનેક પ્રશ્નો આપણા મનમાં આવે છે. આ બાબતે herzindagiના અહેવાલ મુજબ લાઈફ કોચ અને જ્યોતિષ શીતલ શાપૈરાએ ઘરમાં સિંહની પ્રતિમા રાખવાના ફાયદા અને નિયમો સમજાવ્યા છે.
ઘરમાં સિંહની પ્રતિમા કઈ દિશામાં રાખવી જોઈએ? વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર સિંહની મૂર્તિ હંમેશા ઘરની પૂર્વ દિશામાં રાખવી જોઈએ. સિંહની મૂર્તિનું મુખ ઘરના મુખ્ય દરવાજા તરફ હોવું જોઈએ. આ દિશામાં સિંહને રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
સિંહની પ્રતિમા કઈ ધાતુની હોવી જોઈએ? ઘરમાં સિંહની મૂર્તિ માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસની ન હોવી જોઈએ. આ પ્રકારનો સિંહ ઘરમાં નકારાત્મકતા લાવી શકે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે ઘરમાં પિત્તળના સિંહની પ્રતિમા રાખવી જોઈએ. પિત્તળના સિંહની મૂર્તિ ઘર માટે ફાયદાકારક બની શકે છે.
પિત્તળનો સિંહ ઘરમાં રાખવાના લાભ વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે, કે જો કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસ ઓછો હોય તો આવા લોકોએ પોતાના ઘરમાં પિત્તળનો સિંહ જરૂરથી રાખવો જોઈએ. તેનાથી નવો ઉત્સાહ આવે છે. સિંહની મૂર્તિ ઘરના ઈશાન ખૂણામાં રાખવાથી લાભ થાય છે. આમ કરવાથી તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફારો આવશે અને તે તમને થોડા જ સમયમાં વધુ શક્તિશાળી બનાવશે. હંમેશા ધ્યાન રાખો કે સિંહનું મોં હંમેશા મકાનની વચ્ચે હોવું જોઈએ. સૂર્ય દોષ ધરાવતા લોકો માટે આ ઉપાય ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે.
વેપારમાં લાભ માટે સિંહની મૂર્તિ ઉત્તર દિશામાં રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર, ચુંબકીય ઉત્તર ક્ષેત્રને સંપત્તિના દેવતા કુબેરનું સ્થાન માનવામાં આવે છે જે સંપત્તિ વૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. જો કોઈ વેપારી વાટાઘાટો, સલાહ સૂચન, લેવડ-દેવડ કે કોઈ મોટો સોદો કરવા ઈચ્છે છે તો સિંહનું મુખ ઉત્તર તરફ રાખવું. આમ કરવાથી તમારા વ્યવસાયમાં ઘણો નફો થશે.
જો તમે ઘરમાં સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો, તો તમે ઘરમાં પિત્તળનો સિંહ રાખી શકો છો. કોઈપણ પ્રકારના વાસ્તુ દોષથી બચવા માટે તેને મૂકતા પહેલા તમારે યોગ્ય દિશાનું ધ્યાન રાખવું જોઈએ.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર