Valentines Day 2022 Special: વૈવાહિક જીવનને સુખી બનાવવા માટે કરો આ એક ઉપાય, તમામ બાધાઓ થશે દૂર
Valentines Day 2022 Special: વૈવાહિક જીવનને સુખી બનાવવા માટે કરો આ એક ઉપાય, તમામ બાધાઓ થશે દૂર
વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમીઓ અને પરિણીત યુગલો તેમના સંબંધોને મજબૂત કરવા માટે ઘણા ઉપાય કરે છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)
Valentines Day 2022 Special: વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમીઓ અને પરિણીત યુગલો તેમના સંબંધોને મજબૂત કરવા માટે ઘણા ઉપાય કરે છે. હિંદુ ધર્મમાં પણ દામ્પત્ય જીવન (Married Life)ને સુખી બનાવવાના અનેક ઉપાયો છે.
Valentines Day 2022 Special: લવ લાઈફ (Love Life)ને સેલિબ્રેટ કરવા માટે વેલેન્ટાઈન ડે (Valentines Day) આવી રહ્યો છે. આ દિવસે પ્રેમીઓ અને પરિણીત યુગલો તેમના સંબંધોને મજબૂત કરવા માટે ઘણા ઉપાય કરે છે. હિંદુ ધર્મમાં પણ દામ્પત્ય જીવનને સુખી બનાવવાના અનેક ઉપાયો છે. લવ લાઈફને વધુ સારી બનાવવા માટે વ્રત રાખવામાં આવે છે, જેથી જીવનસાથી (Life Partner) સાથે તાલમેલ સારો રહે અને સંબંધ મધુર તેમજ મજબૂત રહે. તમે પણ તમારી લવ લાઈફ કે દાંપત્ય જીવનને સુખી બનાવવા માગો છો, તો તમારે માત્ર એક જ કામ કરવાનું છે- તે છે ગુરુવારનું વ્રત (Guruvar Vrat). ગુરુવારે વ્રત રાખવાથી લવ લાઈફની સમસ્યાઓ દૂર થાય છે અને પ્રેમ સંબંધ પ્રગાઢ બને છે. આવો જાણીએ ગુરુવારના વ્રત વિશે.
ગુરુવારનું વ્રત કરવાના ફાયદા
1. ગુરુવારનું વ્રત કરવાથી દાંપત્યજીવન આનંદિત રહે છે. પતિ-પત્ની વચ્ચેનો મતભેદ ખત્મ થાય છે, તાલમેલ સારો રહે છે.
2. જો તમે તમારા લવ પાર્ટનરને લાઈફ પાર્ટનર બનાવવા ઈચ્છો છો અથવા લગ્નમાં વિલંબ કે કોઈ અડચણ દૂર કરવા ઈચ્છો છો, તો ગુરુવારનું વ્રત વિધિ વિધાનથી કરો.
3. દેવ ગુરુ બૃહસ્પતિને માંગલિક કાર્યો માટે ઉત્તરદાયી માનવામાં આવે છે. ગુરુવારનું વ્રત રાખવાથી ગુરુ બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે, જેથી જીવનમાં શુભતાનો યોગ બને છે.
ગુરુવારનું વ્રત અને પૂજા વિધિ
1. ગુરુવારના એક દિવસ પહેલા તામસિક ભોજનનો ત્યાગ કરો. ગુરુવારે પ્રાતઃ સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરો. ત્યારબાદ જળ, અક્ષત અને પુષ્પોથી વ્રત અને પૂજાનો સંકલ્પ કરો.
2. આ પછી ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિની પીળા ફૂલ, અક્ષત, હળદર, ચંદન, ધૂપ, દીપ, ગંધ વગેરેથી પૂજા કરો. બેસનના લાડુ, કેળા અથવા ચણાની દાળ અને ગોળનો ભોગ લગાવો. આ પછી ગુરુવાર વ્રત કથાનો પાઠ કરો. પછી દેવ ગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની આરતી કરો.
3. હવે કેળાના છોડની પૂજા કરો. ત્યાં પણ ચણાની દાળ અને ગોળ ચઢાવો.
4. વ્રતના દિવસે ફળાહારમાં કેળું ન ખાવું. પૂજા બાદ ચણાની દાળ, ગોળ, પીળા વસ્ત્રો, કેળા, પુસ્તક વગેરેનું દાન કરો. આનાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર