Home /News /dharm-bhakti /Surya Jayanti 2023: નોકરી અને બિઝનેસમાં ઈચ્છો છો સફળતા, તો આજે સૂર્ય જયંતિ પર આ દાન-મંત્રનો જાપ

Surya Jayanti 2023: નોકરી અને બિઝનેસમાં ઈચ્છો છો સફળતા, તો આજે સૂર્ય જયંતિ પર આ દાન-મંત્રનો જાપ

સૂર્ય જયંતિ 2023

Surya Jayanti 2023: આજે 28મી જાન્યુઆરીએ સૂર્ય જયંતિ છે. સૂર્યદેવનો જન્મ માહ મહિનાના શુક્લ પક્ષની સપ્તમીએ થયો હતો, તેને અચલા સપ્તમી અને રથ સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સૂર્ય જયંતિના અવસર પર તમે પણ તમારા સૂર્યને બળવાન બનાવી શકો છો. આ માટે તમે સૂર્યનું દાન કરી શકો છો અથવા તેના મંત્રોનો જાપ કરી શકો છો.

વધુ જુઓ ...
આજે 28 જાન્યુઆરીએ સૂર્ય જયંતિ છે. માહ મહિનાની શુક્લ પક્ષ સપ્તમીએ સૂર્ય દેવનો જન્મ થયો હતો, આને અચલા સપ્તમી અને રથ સપ્તમી પણ કહેવામાં આવે છે. સૂર્ય દેવ ગ્રહોના રાજા છે. જેમની કુંડળીમાં સૂર્યદેવ પ્રબળ હોય છે એટલે મજબૂત સ્થિતિમાં હોય છે, એ લોકોને કરિયરમાં પ્રગતિ મળે છે. રોગથી મુક્ત રહે છે, કપાળ પર તેજ હોય છે, રાજનીતિમાં મોટું પદ પ્રાપ્ત થાય છે. આજે સૂર્ય જયંતિના અવસર પર પણ પોતાના સૂર્યને મજબૂત કરી શકે છે. એના માટે તમે સૂર્યનું દાન અથવા પછી એમના મંત્રોનો જાપ કરી શકે છે.

કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટના જણાવ્યા અનુસાર, જો તમે સંતાન, ધન, ધાન્ય, સ્વાસ્થ્ય, તમારા પિતા તરફથી સારો સહકાર ઈચ્છતા હોવ તો રોજ પાણીમાં લાલ ફૂલ અથવા લાલ ચંદન નાખીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. આ કામ કરવાથી સૂર્ય બળવાન બને છે અને તેની અસરથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે. જો કે, મંત્રનો જાપ અને દાન પણ સારા ઉપાય છે. સૂર્યને બળવાન બનાવવા માટે તેના રત્નો પણ પહેરવામાં આવે છે.

સફળતા માટે સૂર્ય સાથે જોડાયેલા ઉપાયો

1. જો તમે નોકરી કરતા હોવ અથવા તમારું કોઈ કામ હોય તો તેમાં પ્રગતિ માટે તમારે સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્રનો જાપ કરતા પહેલા સૂર્યદેવની વિધિપૂર્વક પૂજા કરો અને મનને શાંત અને કેન્દ્રિત રાખો અને મંત્રનો જાપ કરો.

આ પણ વાંચો: Surya Gochar 2023: આવતા મહિને સૂર્ય કરશે કુંભમાં ગોચર, ફરી પિતા-પુત્રનું મિલન આ રાશિઓની ચમકાવશે કિસ્મત

- કારકિર્દીમાં સફળતા માટેનો સૂર્ય મંત્ર: ઓમ હ્રીં હિરણ્યગર્ભાય નમઃ

2. જો તમને બિઝનેસમાં પ્રગતિ નથી મળી રહી તો તેના માટે તમે સૂર્ય ભગવાનના મંત્રનો જાપ કરી શકો છો. બુધ ગ્રહના મંત્રનો પણ જાપ કરો.

- વ્યવસાયમાં સફળતા માટેનો સૂર્ય મંત્ર: ઓમ ઘ્રીણી: સૂર્ય આદિવ્યોમ

3. જો તમે તમારા કરિયરમાં સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો સૂર્ય જયંતિના અવસર પર સ્નાન કર્યા પછી કોઈ બ્રાહ્મણને સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરો. આમાં તમે તાંબુ, માણેક, સોનું, ગાય, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ વગેરેનું દાન કરી શકો છો.

આ પણ વાંચો: Shani Dev: 30 જાન્યુઆરીએ કુંભ રાશિમાં અસ્ત થશે શનિ દેવ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર



4. જો તમારો સૂર્ય નબળો છે, તો તેને મજબૂત કરવા માટે માણિક્ય રત્ન ધારણ કરો. આ એક મોંઘો રત્ન છે, આ સિવાય તમે સૂર્યનો ઉપરત્ન સૂર્યકાંત રત્ન પણ ધારણ કરી શકો છો. રત્નો એવી રીતે પહેરો કે તેનો અમુક ભાગ તમારા શરીરના સંપર્કમાં રહે, જેથી તેની અસર તમારા પર પડે.

સૂર્ય જયંતિ 2023 મુહૂર્ત

માહ શુક્લ સપ્તમી તિથિ શરૂ: 27 જાન્યુઆરી, સાંજે 09:20 કલાકે
માહ શુક્લ સપ્તમી તિથિ સમાપ્ત: 28 જાન્યુઆરી સવારે 08:43 કલાકે
First published:

Tags: Dharm Bhakti, Surya Dev

विज्ञापन