Home /News /dharm-bhakti /Somvati Amavasya: સોમવતી અમાવસ્યા પર પિતૃ તર્પણનું વિશેષ મહત્વ, આ ઉપાયોથી થશે ધન વૃદ્ધિ

Somvati Amavasya: સોમવતી અમાવસ્યા પર પિતૃ તર્પણનું વિશેષ મહત્વ, આ ઉપાયોથી થશે ધન વૃદ્ધિ

2023 માં ત્રણ સોમવતી અમાવાસ્યાના યોગ

સોમવતી અમાવસ્યાના દિવસે પવિત્ર સ્નાન અને દાન તેમજ તર્પણ વગેરેનું વિશેષ મહત્વ છે. આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે સ્નાન, તર્પણ વગેરે અવશ્ય કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે.

વધુ જુઓ ...
Somvati Amavasya 2023: વર્ષની પ્રથમ સોમવતી અમાવસ્યા 20 ફેબ્રુઆરી 2023, સોમવારે ઉજવવામાં આવશે. આ દિવસે ગંગા નદી અથવા અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પિતૃઓને તર્પણ અને દાન પણ કરવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ ફાગણ મહિનો છેલ્લો મહિનો છે, તેથી આ મહિનામાં મંત્ર જાપ અને તપસ્યાનું વિશેષ મહત્વ છે.

આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને પીપળાના વૃક્ષની પરિક્રમા કરે છે. આ તિથિના સ્વામી પિતૃઓ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવાથી પિતૃ દોષ, કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.પિતૃઓની કૃપાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આ પણ વાંચો :  Somvati Amavasya: આજે સોમવતી અમાવસ્યા પર રચાયો વિશેષ સંયોગ, સુખ-સમૃદ્ધિ માટે ખાસ કરી લેજો આ ઉપાય

2023 માં ત્રણ સોમવતી અમાવાસ્યાના યોગ



  • પ્રથમ યોગ - 20 ફેબ્રુઆરી

  • બીજો યોગ - 17 જુલાઈ

  • ત્રીજો યોગ - 13 નવેમ્બર


ફાગણ સોમવતી અમાવસ્યા મુહૂર્ત



  • તિથિ આરંભ - 19 ફેબ્રુઆરી 2023, સમય - સાંજે 04.18 કલાકે

  • તિથિ સમાપન - 20 ફેબ્રુઆરી 2023, સમય - બપોરે 12.35 કલાકે

  • દાન મુહૂર્ત - 20 ફેબ્રુઆરી સવારે 07.00થી 08.25 સુધી

  • પૂજા મુહૂર્ત - 20 ફેબ્રુઆરી સવારે 09.50 થી 11.15 સુધી

  • શિવ યોગ - 20 ફેબ્રુઆરી 2023 સવારે 11.03 થી 21 ફેબ્રુઆરી 2023 સુધી સવારે 06.57 સુધી


આ પણ વાંચો :  Somvati Amavasya 2023: સોમવતી અમાસે પરણિત મહિલાઓ જરૂર કરે આ કામ, પતિના લાંબા આયુષ્ય માટે છે લાભકારક

અમાવસ્યા પર તર્પણ કરો


સોમવતી અમાવસ્યાના દિવસે પવિત્ર સ્નાન અને દાન તેમજ તર્પણ વગેરેનું વિશેષ મહત્વ છે. આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે સ્નાન, તર્પણ વગેરે અવશ્ય કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમજ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનના તમામ દુઃખોનો નાશ થાય છે. તેનાથી સાધકોને અનેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

સોમવતી અમાવસ્યાની તિથિએ, દક્ષિણ દિશામાં છાણાની ધૂણી લગાવીને કેસરવાળી ખીર ચઢાવો અને હાથ જોડીને જાણ્યા-અજાણ્યા અપરાધો માટે ક્ષમા માગો. આમ કરવાથી પિતૃદોષમાં ઘટાડો થાય છે અને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.

સોમવતી અમાવસ્યાના દિવસે સવારે ભગવાન શિવની પૂજા કરતી વખતે રુદ્રાભિષેક કરો. આ પછી, કોઈ તીર્થ સ્થાન પર જાઓ અને ચાંદીના બનેલા નાગની જોડીની પૂજા કરો. પછી નાગ-નાગણની જોડીને નદીના પ્રવાહમાં પ્રવાહિત કરી દો. ત્યારબાદ કાલસર્પ દોષમાંથી મુક્તિ માટે હાથ જોડીને પ્રાર્થના કરો. આમ કરવાથી ન માત્ર કાલસર્પ દોષથી છુટકારો મળશે, પરંતુ ધનમાં પણ વધારો થશે.

જીવનમાં દુઃખ અને પરેશાનીઓ ચાલી રહી છે તો સોમવતી અમાવસ્યાની તિથિએ તુલસી માતાની પૂજા કરો. તુલસી પૂજામાં તુલસીને જળ ચઢાવો અને ધૂપ-દીપ પ્રગટાવીને શ્રૃંગારની વસ્તુઓ પણ ચઢાવો. ત્યારબાદ શ્રીહરિ, શ્રીહરિ મંત્રનો જાપ કરતી વખતે 108 વાર પરિક્રમા કરો. પરિક્રમા પછી પિતૃઓના નામે દાન કરવું. આમ કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને ધન અને સમૃદ્ધિમાં આવતી અડચણો દૂર થાય છે.

રોગોથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાવસ્યાની તિથિએ દર્દીના માપ જેટલો સૂતરનો દોરો કાપીને પીપળના ઝાડ પર લપેટવો, આ એક પ્રચલિત માન્યતા છે. આમ કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે અને શનિદોષ પણ દૂર થાય છે. તેની સાથે જ જીવન, નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની તકો છે.



જીવનમાં આર્થિક સમૃદ્ધિ અને પિતૃ દોષથી મુક્તિ માટે પીપળના પાન પર પાંચ રંગની મીઠાઈઓ રાખી પીપળના વૃક્ષ પાસે મૂકો. આ પછી પિતૃઓનું ધ્યાન કરો અને તર્પણ પણ કરો. પછી તે પ્રસાદ ગરીબો અને બ્રાહ્મણોને આપો અથવા બાળકોમાં વહેંચો. આમ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે.
First published:

Tags: Amavasya, Astro Tips, Dharam bhakti, Somvati Amas

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો