Home /News /dharm-bhakti /Somvar Upay: સોમવારના દિવસે આ ઉપાયો કરવાથી દરેક કામમાં મળશે સફળતા, જાણો શું છે માન્યતા
Somvar Upay: સોમવારના દિવસે આ ઉપાયો કરવાથી દરેક કામમાં મળશે સફળતા, જાણો શું છે માન્યતા
સોમવારનો દિવસ ભગવાન શિવ (Lord Shiva)ને સમર્પિત હોય છે.
Somvar Upay: સોમવારનો દિવસ ભગવાન શિવ (Lord Shiva)ને સમર્પિત હોય છે. માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથ સરળતાથી પ્રસન્ન થઈને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે.
Somvar Upay: હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવ (Lord Shiva)ને સમર્પિત માનવામાં આવે છે. સોમવારના દિવસે વિધિ-વિધાનથી શિવશંભૂની પૂજા કરવાથી ભોલેનાથ ખુશ થઇને ભક્તો પર કૃપા વરસાવે છે. આવો જાણીએ કયા ઉપાયો દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરીને તમારા કાર્યને સફળ બનાવી શકાય છે...
1. ભગવાન શિવને બિલિપત્ર બહુ પ્રિય છે એટલે સોમવારના દિવસે શિવલિંગ પર બિલિપત્ર ચડાવીને ભગવાન શંકરનું પૂજન કરીને શિવશંભુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ પૂજન દરમિયાન ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
2. જીવનમાં સુખ-સમૃદ્ધિની ચાહ રાખતા લોકો સોમવારના દિવસે કોઈ શિવ મંદિરમાં જઈને ત્યાં જળ, દૂધ અને ગંગાજળના મિશ્રણથી શિવલિંગનો અભિષેક કરો. ભોલેનાથથી પોતાના સારા સ્વાસ્થ્ય અને પ્રગતિની કામના કરો.
3. મનને શાંત કરવા અને ભયથી મુક્તિ મેળવવા માટે સોમવારના દિવસે સાંજના સમયે ભગવાન ભોલેનાથની મૂર્તિ અથવા તસ્વીર સામે દીપક પ્રગટાવો અને પછી એક આસન પર પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેસી જાઓ. ત્યારબાદ રુદ્રાક્ષની માળાથી ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે શિવના મંત્ર જાપથી મનની વ્યાકુળતા શાંત થાય છે.
4. પતિ-પત્ની વચ્ચે પ્રેમ સંબંધમાં મધુરતા લાવવા અને દાંપત્ય જીવનમાં કલેશથી મુક્તિ મેળવવા માટે ભગવાન ભોલેનાથ અને પાર્વતીના મંદિરમાં સોમવારની સવારે ગૌરી-શંકર રુદ્રાક્ષ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે.
5. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સફેદ, લીલા, પીળા, લાલ કે વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને પૂજા કરો.
6. પૂજામાં ભગવાન શિવને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરો. ધ્યાનમાં રાખો કે ચોખાનો કોઈ દાણો ખંડિત એટલે કે તૂટેલો ન હોવો જોઈએ.
7. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યા છે તો, સોમવારે શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો લાભકારી રહેશે. ઘણી વખત પિતૃ દોષના પ્રભાવથી આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે. એવામાં તમે સોમવારની સાંજે કાચા ચોખામાં કાળા તલ ભેળવીને દાન કરો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર