જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, સુખ, ઐશ્વર્ય તેમજ વિલાસિતા વગેરેનો કારક માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડશે. શુક્ર ગ્રહ 15 ફેબ્રુઆરી 2023ના રોજ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં શુક્ર ગ્રહના જવાથી કેટલીક રાશિઓ ફાયદામાં રહેશે. આ દરમિયાન આ રાશિઓને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. શુક્રના મીન રાશિમાં જવાથી ગુરુ ગ્રહ સાથે યુતિ પણ બનશે.
આ રાશિના જાતકોને શુક્ર ગોચરથી મળશે વિશેષ લાભ-
મિથુન, ધનુ અને મીન રાશિના લોકોને શુક્રના ગોચરથી સૌથી વધુ લાભ મળશે. આ સિવાય વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ, મેષ, કર્ક અને મકર રાશિના લોકોને લાભ મળશે.
આ 3 રાશિઓને શુક્ર ગોચરનો વિશેષ લાભ-
1. મિથુન - શુક્રના ગોચરને કારણે મિથુન રાશિના લોકોને અચાનક ધનલાભ થશે. મિથુન રાશિના જાતકોની કુંડળીના દસમા ભાવમાં આ ગોચર થશે. આ સમય દરમિયાન તમે કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો. નોકરી કે વેપાર કરતા જાટકોને લાભ મળશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. આવકમાં વૃદ્ધિની શક્યતાઓ છે.
3. તુલા - તુલા રાશિના લોકો માટે શુક્ર છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. શત્રુઓથી મુક્તિ મળશે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે. અચાનક ધન લાભ થઈ શકે છે. નોકરીમાં પગાર વધારો શક્ય છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર