Home /News /dharm-bhakti /Shani Upay: આ ઉપાયથી દૂર થશે બધી શનિની પીડા, બ્રહ્મ દેવે આપી હતી સલાહ

Shani Upay: આ ઉપાયથી દૂર થશે બધી શનિની પીડા, બ્રહ્મ દેવે આપી હતી સલાહ

શનિદેવ ઉપાય

Shani Upay Bhavishya puran: શનિની પીડા ખુબ દુઃખદાયી માનવામાં આવે છે. એનાથી બચવા માટે શાસ્ત્રો ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. એમાં એક ઉપાય ભગવાન બ્રહ્માએ ઋષિ પિપ્પલાદને જણાવેલ ઉપાય પ્રમુખ માનવામાં આવે છે.

હિન્દૂ ધર્મમાં શનિની નજર ખુબ કષ્ટકારી માનવામાં આવે છે. આ દુઃખથી બચવા માટે શાસ્ત્રોમાં ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. એમાંથી જ એક ઉપાય સૃષ્ટિના રચયિતા બ્રહ્માએ પણ જણાવ્યો છે. જો ભવિષ્યપુરાણ અનુસાર એમણે મુનિ પિપ્પલાદને જણાવ્યો હતો. પંડિત રામચંદ્ર જોશી અનુસાર ઋષિ પિપ્પલાદને જયારે પોતાના બાળપણની ઇજાનું કારણ શનિદેવ હોવાની જાણ થઇ તો એમણે ગુસ્સામાં શનિને આકાશ પરથી નીચે પાડી દીધા હતા. ત્યારે બ્રહ્માજીએ આવીને ગ્રહોનું અનાદર કરવાની જગ્યાએ પૂજાથી શાંત કરવાની સલાહ આપી હતી. એ સમયે એમણે ગ્રહની પીડાથી બચવાના ઉપાય પણ જણાવ્યા હતા. તે જ ઉપાય આજે અમે તમને જણાવી રહ્યા છે.

શનિની પીડાથી બચવાના ઉપાય

ભવિષ્ય પુરાણના આધારે પંડિત જોશીએ જણાવ્યું કે બ્રહ્માજીએ મુનિ પિપ્પલાદને ગ્રહોના કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે વ્રત, ભોગ, હવન, નમસ્કાર વગેરે કરવાની સલાહ આપી હતી. શનિની પીડા દૂર કરવા માટે તેમણે કહ્યું કે શનિવારે બ્રાહ્મણોને પોતાના શરીર પર તેલ લગાવીને દાન કરવું જોઈએ.

લોખંડના વાસણમાં તેલ ભરીને શનિદેવની લોખંડની મૂર્તિ બનાવવી જોઈએ અને એક વર્ષ સુધી દર શનિવારે તેની પૂજા કરવી જોઈએ. આ પછી કાળા ફૂલ, કાળા વસ્ત્રો, તલ, કસર, ચોખા વગેરેથી તેમની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ બ્રાહ્મણને કાળી ગાય, કાળો ધાબળો, તલનું તેલ અને દક્ષિણા સહિતની તમામ વસ્તુઓ પ્રદાન કરવી જોઈએ.

આ પણ વાંચો: શનિવારે સૂર્યોદય પછી નહિ કરવી જોઈએ પીપળાની પૂજા, નહીંતર બરબાદ થઇ જશો; જાણો કથા

મંત્રો અને શનિની સ્તુતિ

ભગવાન બ્રહ્માના મતે શનિની પૂજા કરતી વખતે યજુર્વેદના મંત્રનો ઉપયોગ કરવો જોઈએ. જે નીચે મુજબ છે.

‘શમ નો દેવીરાભિષ્ટયા આપો ભવન્તુ પીતયે. શામ યોરાભિ સ્ત્રવન્તુ ના:.’

એ જ રીતે, રાજા નલને શનિદેવએ સપનામાં જે પ્રાર્થના મંત્રને ઉપદેશ આપી એના પ્રયોગથી એમને રાકપાઠ આપ્યું હતું. એ સ્તુતિ આ પ્રકારે છે:-

ક્રોડ નીલાંજનપ્રાખ્યામ્ નીલાવર્ણસમસ્ત્રજમ્
છાયામર્તાન્દસમ્ભૂતં નમસ્યામિ શનૈશ્ચરમ્ ।

નમોર્કપુત્રાય શનૈશ્ચરાય નિહારવર્ણજનમેચકાયા,
શ્રુત્વા રહસ્ય ભવકામદશ્ચ ફલપ્રદો મે ભવ સૂર્યપુત્રઃ ।

આ પણ વાંચો: Budh Gochar 2022 : ડિસેમ્બરમાં ગ્રહોનો રાજકુમાર બે વખત બદલશે રાશિ, ખુલી જશે આ જાતકોની કિસ્મત



નમોસ્તુ પ્રતરાજાય કૃષ્ણદેહાય વૈ નમઃ,
શનૈશ્ચરાયા કુર્યા શુદ્ધબુદ્ધિપ્રદાયિને ।

યા અભિર્નામાભિઃ સ્તુતિ તસ્ય તુષ્ટો ભવામ્યહમ્ ।
મદ્યં તુ ભયં તસ્ય સ્વપ્રેપિણિ ન ભવિષ્ટિ ।

પંડિત જોશી અનુસાર, બ્રહ્મ દેવ કહે છે કે જો પણ વ્યક્તિ એક વર્ષ સુધી દર શનિવારે આ વિધિનું વ્રત રાખે છે, એને ક્યારે પણ શનિની પીડા ભોગવવી પડતી નથી.
First published:

Tags: Dharm Bhakti, Shani Grah Upay, Shanidev

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો