Home /News /dharm-bhakti /Shani dev: આ પાંચ રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈયાની અસર, બચવા માટે કરો ખાસ ઉપાય
Shani dev: આ પાંચ રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈયાની અસર, બચવા માટે કરો ખાસ ઉપાય
Shani sadesati dhaiya upay: શનિની સાડાસાતી અને ઢૈયા દરમિયાન લોકોએ ઘણા દુઃખોનો સામનો કરવો પડી શકે છે. પંડિત નવીન પાંડે જણાવે છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને ન્યાયાધીશ પણ માનવામાં આવે છે. શનિ ભગવાન વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. તેથી જ જાતકોએ ગભરાવાની જરૂર નથી
Shani sadesati dhaiya upay: શનિની સાડાસાતી અને ઢૈયા દરમિયાન લોકોએ ઘણા દુઃખોનો સામનો કરવો પડી શકે છે. પંડિત નવીન પાંડે જણાવે છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને ન્યાયાધીશ પણ માનવામાં આવે છે. શનિ ભગવાન વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. તેથી જ જાતકોએ ગભરાવાની જરૂર નથી
ધર્મ ડેસ્ક: શનિદેવની સાડાસાતી અને ઢૈયાનું નામ સાંભળીને લોકોમાં ભય ઉભો થઇ જાય છે. પંડિત નવીન પાંડે જણાવે છે કે શનિદેવ કર્મો અનુસાર ફળ આપે છે, જેના કારણે શનિની સાડાસાતી અને ઢૈયા દરમિયાન લોકોએ ઘણા દુઃખોનો સામનો કરવો પડી શકે છે. શનિની મહાદશામાંથી નીકળવું એટલે સરળ નથી હોતું. પંડિત નવીન પાંડેની માનીએ તો આ સમયે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે.
કુંભ રાશિનો સ્વામી શનિ પોતાની રાશિમાં માર્ચ 2025 સુધી રહેશે. એનાથી ત્રણ રાશિઓ પર સાડાસાતી અને 2 રાશિઓ પર ઢૈયાનો પ્રભાવ રહેશે. શાસ્ત્રો અનુસાર જે લોકો પર ભગવાન શનિની કૃપા રહે છે એમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે સાથે શારીરિક અને આર્થિક સમસ્યાથી પણ છુટકારો મળે છે.
આ રાશિઓ પર રહેશે પ્રભાવ
પંડિત નવીન પાંડે જણાવે છે કે હિન્દુ નવ વર્ષના આરંભ સાથે મીન, મકર અને કુંભ રાશિ વાળાના જાતકો પર શનિની સાડાસાતી ચાલશે. ત્યાં જ કર્ક અને વૃશ્ચિક પર ઢૈયાનો પ્રભાવ રહેશે. નવીન પાંડે આગળ જણાવે છે કે શનિની સાડાસાતી અને ઢૈયાથી બચવા માટે ઘણા ઉપાયો છે. તેઓ આગળ જણાવે છે કે નવરાત્રિમાં ન્હાયા પછી શુદ્ધ મનથી માતાના નવ સ્વરૂપોની આરાધના કરવાથી શનિનો પ્રભાવ ઓછો થાય છે.
પંડિતજી જણાવે છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને ન્યાયના દેવતા પણ માનવામાં આવે છે. શનિ ભગવાન વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે જાતકોએ શનિવારે મધ્ય આંગળીમાં કાળા ઘોડાની નાળ પહેરી શકે છે.
આ સિવાય તાંબાના વાસણમાં તલ અને ગોળની સાથે પીપળના ઝાડને સવારે જળ ચઢાવવાથી પણ શનિની અસર ઓછી થાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ સ્ત્રાવનો પાઠ, તલનું દાન અને સુંદરકાંડનો નિયમિત પાઠ પણ કરી શકાય છે. ખૂબ જ પરેશાની થતી હોય તો ડાંગરના વાસણને પાણીમાં રાખવા અને તે જ પાણીથી સ્નાન કરવાથી પણ શનિને શાંતિ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર