ધર્મ ડેસ્ક: 14 તારીખે સૂર્ય મકર સૂર્ય રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે મકરસંક્રાંતિ ઉજવાશે. આ વર્ષે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે, કારણ કે સૂર્ય દેવ 14 જાન્યુઆરીના રોજ રાત્રે રાશિ પરિવર્તન કરશે, જે સાથે માંગલિક કાર્યો, વિવાહ, વાસ્તુ સહિત શુભકાર્યો. ઉત્તરાયણ પછી 17 જાન્યુઆરીના રોજ દશમ તિથી, પોષ કૃષ્ણપક્ષ સહિત વિશાખા નક્ષત્રનો ત્રિવેણી સંગમ રચાશે. ભારતની કુંડળીમાં શુભ સંકેત સાથે ફળફળાદિ-અન્નનું ઉત્પાદન વધશે.
જ્યોતિષાચાર્ય મુજબ ૧૭ જાન્યુઆરીના રોજ મંગળવારે બપોરે 2.33 કલાકે શનિદેવ મકર રાશીમાંથી કુંભમાં પ્રવેશ કરશે. જેની અસર રાશિચક્રની તમામ રાશિઓ પર જોવા મળશે. શનિદેવ એક રાશિમાં 30 દિવસ રહે છે. શનિદેવ વક્રી થતા કે માર્ગી થતા રાશી પરિવર્તન થાય છે. જે સાથે શનિદેવ પોતાના સ્થાનેથી ત્રીજે- સાતમા અને દશમા સ્થાને દ્રષ્ટિ કરે છે. મોટા ભાગે લોકો મને છે કે શનિ ખરાબ ફળ આપે છે પરંતુ ખરેખર એવું નથી. શિનદેવ ન્યાયના દેવતા છે કર્મો પ્રમાણે ફળ આપે છે.
શનિના રાશિ પરિવર્તનના કારણે રાશીમાં નાની-મોટી અસર શરૂ થશે
મેષ : મેષ રાશિના જાતકો માટે શનિનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.
વૃષભ : શનિના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોએ થોડું સાવધાન રહેવાની જરૂરત છે. અકસ્માત-ઇજાની સંભાવના છે
મિથુન : મિથુન રાશિના લોકોને પાણીથી ભય છે, માટે થોડું સાવધાન રહેવું.
કર્ક : કર્ક રાશિના જાતકોને પશુથી ભય રહેશે. બને ત્યાં સુધી પશુથી દૂર રહો.