Home /News /dharm-bhakti /Shani Pradosh: મકર, કુંભ, ધન, મિથુન, તુલાના જાતકો કરો આ ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મળશે છુટકારો

Shani Pradosh: મકર, કુંભ, ધન, મિથુન, તુલાના જાતકો કરો આ ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મળશે છુટકારો

શનિની સાડાસાતીના ઉપાય

Shani Pradosh vrat sadesati upay: ફાગણ મહિનાના શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત 4 માર્ચ, શનિવારે છે. માટે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિવારના દિવસે પ્રદોષ વ્રત આવવાના કારણે પ્રદોષ વ્રતનું મહત્વ વધી જાય છે. શનિની સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય આજના દિવસે કરી શકો છો.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: ફાગણ મહિનાના શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત 4 માર્ચ, શનિવારે છે. શનિવારે આવતા પ્રદોષ વ્રતને શનિ પ્રદોષ કહેવામાં આવે છે. આ પ્રદોષ વ્રત તેરશની તિથિના દિવસે હોય છે. હિન્દી ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ જ મહત્વ છે. દર મહિને 2 પ્રદોષ વ્રત હોય છે, જેમાંથી એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં હોય છે. એમ વર્ષમાં કુલ 24 પ્રદોષ વ્રત પડે છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ વ્રતના દિવસે પ્રદોષકાળમાં પૂજા કરવાનું અતિગણું મહત્વ રહેલું છે.

ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી વ્યક્તિને દરેક પ્રકારના સુખોનો અનુભવ થાય છે. શનિવારના દિવસે પ્રદોષ વ્રત આવવાના કારણે પ્રદોષ વ્રતનું મહત્વ વધી જાય છે. આ સમયે મકર, કુંભ, ધન પર શનિની સાડાસાતી અને મિથુન, તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિદેવની સાડાસાતી અને ઢૈયા હોવાથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિના સાડાસાતી અને સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે રાજા દશરથ દ્વારા રચિત શનિ સ્તોત્રનો પાઠ કરો. દશરથ કૃત શનિ સ્તોત્રની રચના ભગવાન શ્રીરામના પિતા રાજા દશરથ દ્વારા કરવામાં આવી હતી. દશરથ દ્વારા રચિત શનિ સ્તોત્રનો પાઠ કરવાથી શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે.

અહીં વાંચો દશરથ દ્વારા રચિત શનિ સ્તોત્ર

નમ: કૃષ્ણાય નીલાય શીતિકંઠનિભાય ચ ।
નમ: કાલાગ્નિ રુપાય કૃતાન્તાય ચ વૈનમ: ॥

નમો નિર્માંસદેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ ।
નમો વિશાલનેત્રાય શુષ્કોદર ભયાકૃતે॥

નમ: પુષ્કલગોત્રાય સ્થૂલરોમ્ણેથ વૈનમ: ।
નમ: દીર્ઘાય શુષ્કાય કાલદષ્ટ્ર નમોસ્તુતે॥

આ પણ વાંચો: હોળી પહેલાં શનિ પ્રદોષ વ્રતનો શુભ સંયોગ, આ ઉપાય કરવાથી શનિની સાડાસાતી થશે દૂર

નમસ્તેકોટરાક્ષાય દુર્નિરીક્ષ્યાય વૈનમ: ।
નમો ઘોરાય રૌદ્રાય ભીષણાય કપાલિને॥

નમસ્તેસર્વભક્ષાય બલીમુખ નમોસ્તુતે।
સૂર્યપુત્ર નમસ્તેસ્તુ ભાસ્કરેભયરે દાય ચ ॥

અધોદૃષ્ટે: ષ્ટે નમસ્તેસ્તુસંવર્તક નમોસ્તુતે।
નમો મન્દગતેતુભ્યં નિસ્ત્રિંશાય નમોસ્તુતે॥

તપસા દગ્ધદેહાય નિત્યં યોગરતાય ચ ।
નમો નિત્યં ક્ષુધાર્તાય અતૃપ્તાય ચ વૈનમ: ॥

જ્ઞાનચક્ષુર્નમસ્તેસ્તુકશ્યપાત્મજ સૂનવે।
તુષ્ટો દદાસિ વૈરાજ્યં રુષ્ટો હરસિ તત્ક્ષણાત ॥

આ પણ વાંચો: Shani Uday 2023: હોળી પહેલા ચમકશે આ રાશિના જાતકોની કિસ્મત, શનિદેવ વરસાવશે કૃપા



દેવાસુરમનુષ્યાશ્ચ સિદ્ધવિદ્યાધરોરગા: ।
ત્વયા વિલોકિતા: સર્વેનાશં યાન્તિ સમૂલત: ॥

પ્રસાદં કુરું મેદેવ વારાહોહમુપાગત: ।
એવં સ્તુતસ્તદ સૌરિર્ગ્રહરાજો મહાબલ: ॥
First published:

Tags: Dharm Bhakti, Shani Sade Sati, Shanidev

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો