Home /News /dharm-bhakti /Shani Rajyog: 2023ની શરૂઆતમાં શનિ બનાવશે વિપરીત રાજયોગ, આ રાશિઓને થશે લાભ જ લાભ

Shani Rajyog: 2023ની શરૂઆતમાં શનિ બનાવશે વિપરીત રાજયોગ, આ રાશિઓને થશે લાભ જ લાભ

શનિ ગોચર 2023

Shani Gochar 2023: જાન્યુઆરી 2023માં શનિનું ગોચર તમામ 12 રાશિઓને અસર કરશે. પરંતુ કેટલીક રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. જાણો તમારી રાશિ આ યાદીમાં સામેલ છે કે નહિ-

જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. ન્યાયધીશ શનિદેવ 17 જાન્યુઆરી, 2023ના રોજ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં શનિના આગમનને કારણે કેટલીક રાશિઓ માટે વિપરીત રાજયોગ બનશે. આ રાશિના જાતકોને વિપરીત રાજયોગથી બમ્પર લાભ મળશે. જ્યોતિષીઓના મતે જો શનિ ખરાબ ઘરોનો સ્વામી હોય અને તે જ સ્થાને જાય તો તેનાથી વિપરીત રાજયોગ બને છે. જાણો કઈ રાશિના જાતકોને શનિ ગોચરથી ધન લાભ થશે અને કરિયરમાં સફળતા મળશે.

કર્ક: કર્ક રાશિમાં શનિદેવ આઠમા ઘરના સ્વામી છે. 17 જાન્યુઆરીએ શનિદેવ આ ઘરમાં ગોચર કરશે. જ્યારે શનિ આઠમા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે વિપરીત રાજયોગ સર્જાશે. આ દરમિયાન કર્ક રાશિના જાતકોને સન્માન સાથે મોટું પદ મળી શકે છે. અટવાયેલા પૈસા પરત મળવાની સંભાવના છે. વિદેશ પ્રવાસની શક્યતાઓ બની રહી છે.

આ પણ વાંચો: Rahu Gochar: નવા વર્ષમાં રાહુનું ગોચર વૃષભ, તુલા અને મકર રાશિના જાતકોની બલ્લેબલ્લે કરાવશે, અહીં જાણો શું થશે ફાયદો

કન્યા: શનિદેવ કન્યા રાશિના છઠ્ઠા ઘરના સ્વામી છે અને તેઓ આ ઘરમાં ગોચર કરશે. જેના કારણે વિપરીત રાજયોગ સર્જાશે. શનિ સંક્રમણના સમયગાળા દરમિયાન કોર્ટના મામલાઓમાં તમને રાહત મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો માટે સફળતાની તકો રહેશે. રોગમાંથી મુક્તિ મળશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે.

આ પણ વાંચો: Surya Rashi Parivartan 2022: આ સપ્તાહ રહેશે ખાસ, જાણો સૂર્ય ગોચરની શું થશે રાશિચક્રની તમામ રાશિઓ પર અસર



ધન: શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ધન રાશિના લોકોને શનિની સાડાસાતમાંથી મુક્તિ મળશે. શનિ ધનરાશિના ત્રીજા ઘરનો સ્વામી છે અને આ ઘરમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન તમારી હિંમત અને શક્તિ વધશે. જોખમી નિર્ણયો લઈ શકો છો. નોકરીમાં પ્રમોશનની સાથે આવકમાં પણ વધારો થવાની સંભાવના છે.
First published:

Tags: Dharm Bhakti, Rashi Parivartan, Shani gochar, Shani rashi parivartan

विज्ञापन