Home /News /dharm-bhakti /Samudra shastra: ગાલનો કલર જણાવે છે વ્યક્તિનો સ્વભાવ, જાણો કેવા હોય છે લાલ-ગુલાબી ગાલ વાળા લોકો
Samudra shastra: ગાલનો કલર જણાવે છે વ્યક્તિનો સ્વભાવ, જાણો કેવા હોય છે લાલ-ગુલાબી ગાલ વાળા લોકો
ગુલાબી ગાલ વાળા વ્યક્તિનો સ્વભાવ
Samudra shastra chin color: સામુદ્રિક શાસ્ત્ર અનુસાર વ્યક્તિના ગાલના રંગ પરથી એમના સ્વભાવ અને ચરિત્ર અને ઘણું બધું જાણી શકાય છે. તો આજે આપણે વાત કરશુ લાલ રંગના ગાલ વાળા લોકોના સ્વાભવ અંગે.
ધર્મ ડેસ્ક: સામુદ્રિક શાસ્ત્રમાં લાલ રંગના ગાલ વાળા લોકોને ખુબ પર સારા જણાવવામાં આવ્યા છે. આ લોકો જે પણ કામ શરુ કરે છે, એને પૂરું જરૂર કરે છે. પરંતુ આ થોડા ગુસ્સા વાળા સ્વભાવના હોય છે. એમને નાની-નાની બાબતમાં ગુસ્સો આવી જાય છે. આવા લોકોમાં ધૈર્યની કમી હોય છે અને કોઈ પણ કામ કરવા માટે તાત્કાલિક ઉત્સાહી હોય છે. જો કે આ લોકો ખુબ સાહસી હોય છે અને બીજા સાથે પણ સારું વર્તન કરે છે, પરંતુ એમનો ગુસ્સો ગણી વખત તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
ગુલાબી ગાલ વાળા વ્યક્તિનો સ્વભાવ
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે લોકોના ગાલનો રંગ ગુલાબી હોય છે, તેઓ ખૂબ જ સંતુલિત માનસિકતા ધરાવતા હોય છે. તેઓ દરેક બાબતમાં સંતુલન બનાવીને ચાલે છે. તેઓ સારી રીતે જાણે છે કે પરિસ્થિતિ અનુસાર પોતાને કેવી રીતે ઘડવું. તેઓ દર વખતે તેમનું કામ નવી રીતે કરવાનો પ્રયાસ કરે છે. તમારું કામ પણ સંપૂર્ણ આયોજન અને આનંદથી કરો.
આ સિવાય આ લોકો પોતાના નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લે છે અને જીવનમાં ઘણી ખ્યાતિ મેળવે છે. સમાજમાં પણ તેમની સારી ઓળખ જળવાઈ રહે છે. તેઓ ધીરજવાન છે. તેમ જ, તેઓ કુદરતી વસ્તુઓ માટે ખૂબ પ્રેમ ધરાવે છે. આ સિવાય આ લોકો અન્ય કોઈને મુશ્કેલીમાં જોઈ શકતા નથી અને તરત જ તેમની મદદ કરવા તૈયાર રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર