Home /News /dharm-bhakti /Ram Navami 2023: રામચરિતમાનસની આ ચોપાઇનો કરો જાપ, પ્રભુ શ્રીરામની કૃપાથી પૂરી થશે દરેક મનોકામના
Ram Navami 2023: રામચરિતમાનસની આ ચોપાઇનો કરો જાપ, પ્રભુ શ્રીરામની કૃપાથી પૂરી થશે દરેક મનોકામના
રામચરિતમાનસનો પાઠ કરનારને પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
Ram Navami 2023 Date: અયોધ્યાના જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ અનુસાર, રામ નવમી અથવા તો ચૈત્ર નવરાત્રીમાં રામચરિતમાનસનો પાઠ કરનારને પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે દરેક મનોકામના પૂરી થાય છે.
ધર્મ ડેસ્ક: સનાતન ધર્મમાં રામ નવમીનો પર્વ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની નવમી તિથિએ ભગવાન રામે આ પૃથ્વી પર જન્મ લીધો હતો. આ વખતે રામ નવમીનો પર્વ 30 માર્ચે ઉજવવામાં આવશે. રામ નવમીના દિવસે ઘરથી લઇને મઠ મંદિરોમાં રામચરિતમાનસનો પાઠ કરવામાં આવે છે. ભગવાન રામના મંદિરોમાં પૂજારીથી લઇને ભક્તો ભગવાન રામના જન્મોત્સવની શુભેચ્છા પાઠવે છે.
કહેવામાં આવે છે કે રામનવમીમાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસની કેટલીક ચોપાઇઓનો જાપ કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂરી થાય છે. આજે એ જ ચોપાઇઓ વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ જેનો જાપ કરવાથી સંકટ મુક્તિ, રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ, લક્ષ્મીની પ્રાપ્તિ અને સંતાનની પ્રાપ્તિ વગેરે થઇ શકે છે.
અયોધ્યાના જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ જણાવે છે કે રામનવમીમાં રામચરિતમાનસનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સમસ્ત મનોકામનાની પૂર્તિ માટે સનાતન ધર્મના લોકો રામનવમીમાં રામચરિત માનસનો પાઠ કરે છે. જેનાથી પ્રભુ રામની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
મનોકામના પૂર્તિ માટે
રામનવમીમાં મનોકામના પૂર્તિ અને સમસ્યાના નિવારણ માટે 108 વાર આ ચોપાઇનો જાપ કરવો જોઇએ.
(નોટ- અહીં આપવામાં આવેલી ચોપાઇઓ રામ નવમી અથવા ચૈત્ર નવરાત્રીના કોઇપણ દિવસે તમે કરી શકો છો. આ બધા જ દિવસો શુભ છે. સાથે જ આ જાણકારી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છે. ન્યૂઝ 18 તેની પુષ્ટિ નથી કરતું.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર