Home /News /dharm-bhakti /Peepal Upay: શનિની દશાના નિવારણ માટે અપનાવો આ ઉપાય, ખરાબ સમયમાંથી મળશે મુક્તિ

Peepal Upay: શનિની દશાના નિવારણ માટે અપનાવો આ ઉપાય, ખરાબ સમયમાંથી મળશે મુક્તિ

પીપળાના વૃક્ષના ઉપાય

Peepal Tree Upay: માન્યતા છે કે પીપળાના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ થાય છે. સાથે જ શનિદેવનો પણ વાસ થાય છે. બ્રહ્મ પુરાણ અનુસાર, જે વ્યક્તિ શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરે છે. એમના તમામ કષ્ટ દુર થાય છે.

ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે પીપળાના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ થાય છે. પીપળા વૃક્ષમાં બ્રહ્માજી, ઉપરના ભાગમાં મહાદેવ અને તનમાં ભગવાન વિષ્ણુનો વાસ થાય છે. સાથે જ શનિદેવનો પણ વાસ થાય છે. બ્રહ્મ પુરાણ અનુસાર,, જે વ્યક્તિ શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરે છે. એમના તમામ કષ્ટ દુર થાય છે. સાથે જ ગ્રહોના કારણે મળવા વાળી મુશ્કેલીઓમાંથી નિજાત મળે છે. આઓ જાણીએ પીપળાના ઝાડ સાથે જોડાયેલ સરળ જ્યોતિષ ઉપાય.

લગ્ન માટે

શનિવારે એક ગ્લાસમાં દૂધ અને થોડા તલ નાખીને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરો. તેમજ 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' નો જાપ કરો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થશે.

શનિ દશા નિવારણ

શનિવારે સ્નાન વગેરે કર્યા પછી પીપળના ઝાડને જળ ચઢાવો. તેમજ સરસવના તેલનો દીવો પ્રગટાવો અને 5 વખત પરિક્રમા કરો. આમ કરવાથી શનિની મહાદશામાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો: Shani Uday 2023: કુંભ રાશિમાં થયો શનિનો ઉદય, આ રાશિઓને થશે ફાયદો

ઈચ્છા પૂર્તિ માટે

શનિવારે પીપળના ઝાડને પાણીમાં થોડો ગોળ અને દૂધ મિક્સ કરીને અર્પિત કરો. તમારી ઈચ્છા પણ કહો. પછી ઝાડને સ્પર્શ કરી પરિક્રમા કરો.

આ પણ વાંચો: આ 4 જન્મ તારીખ વાળી છોકરીઓ પિતા માટે હોય છે લકી, બદલી નાખે છે કિસ્મત



દુઃખ માટે ઉપાય

શનિવારે પીપળના ઝાડને બંને હાથે સ્પર્શ કરતી વખતે 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો. આમ કરવાથી કુંડળીમાંથી ગ્રહ દોષ દૂર થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Dharm Bhakti, Shani dev