Mauni Amavasya 2023: આજે 21 જાન્યુઆરીએ મૌની અમાસનું વ્રત છે. લોકો આજે સવારથી જ ગંગા સહિત તમામ પવિત્ર નદીઓમાં સ્નાન કરી રહ્યા છે. ચાલો જાણીએ મૌની અમાસનો શુભ સમય, પિતૃ દોષના ઉપાયો, ઉપવાસ અને પૂજા પદ્ધતિ વિશે.
આજે 21 જાન્યુઆરીએ મૌની અમાસ વ્રત છે. આજે સવારથી ગંગા સહીત તમામ પવિત્ર નદીઓમાં લોકો સ્નાન કરવા લાગે છે. ત્યાર પછી સૂર્ય દેવ, ભગવાન વિષ્ણુ, પિતૃ દેવ, શનિ દેવની પૂજા કરવાની હોય છે. શનિ દેવની પૂજા એટલા માટે કારણ કે આજે મૌની અમાસ સાથે શનિ અમાસ પણ છે. આજના દિવસે મૌન વ્રત રાખી ઓછામાં ઓછું બોલવાની કોશિશ કરો. ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો કલ્યાણકારી હોય છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મૌની અમાસ પર પિતૃ દોષથી મુક્તિ મેળવવાના ઉપાય કરવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણી ભટ્ટ પાસે જાણીએ છે મૌની અમાસના મુહૂર્ત, પિતૃ દોષ ઉપાય, વ્રત અને પૂજા વિધિ અંગે.
મૌની અમાસ 2023 મુહૂર્ત
માહ અમાસ તિથિનો પ્રારંભ: આજે, સવારે 06:17 થી માહ અમાસ તિથિની સમાપ્તિ: કાલે સવારે 02:22 વાગ્યે સ્નાનનો સમય: સૂર્યોદયથી બ્રહ્મ મુહૂર્ત: સવારે 05:27 થી 06:20 સુધી
મૌની અમાસનું વ્રત અને પૂજા પદ્ધતિ
1. સવારે સ્નાન કર્યા પછી સૌપ્રથમ સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. પાણીમાં કાળા તલ, ફૂલ, લાલ ચંદન મિક્સ કરીને જળ ચઢાવો.
2. આ પછી પિતૃઓને જળથી તર્પણ કરો. પૂર્વજોને પાણીથી તૃપ્ત કરવા જોઈએ. આનાથી તેમને સુખ અને શાંતિ મળશે.
3. હવે તમે ભગવાન વિષ્ણુની પૂજા કરો. તેમને પીળા ફૂલ, પંચામૃત, તુલસીના પાન, વસ્ત્ર, અક્ષત, હળદર, ધૂપ, દીવો, નૈવેદ્ય વગેરે અર્પણ કરો. આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો.
4. વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસા અને મૌની અમાસ વ્રત કથાનો પાઠ કરો. તેનાથી તમારા દુ:ખ દૂર થશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.