Home /News /dharm-bhakti /Mangalwaar Upay 2023 : સતત 11 મંગળવારે કરો આ સરળ ઉપાય, હનુમાનજીની કૃપાથી ટળી જશે અકાળ મૃત્યુ
Mangalwaar Upay 2023 : સતત 11 મંગળવારે કરો આ સરળ ઉપાય, હનુમાનજીની કૃપાથી ટળી જશે અકાળ મૃત્યુ
ભગવાન હનુમાનની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.
એવી માન્યતા છે કે જે વ્યક્તિ ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરે છે, તેના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ આપોઆપ દૂર થઈ જાય છે. તો આવો આજે આ લેખમાં, અમે તમને મંગળવારે એવા ત્રણ ઉપાયો વિશે જણાવીશું, જેને કરવાથી વ્યક્તિનો બેડોપાર થઇ જશે અને તેના જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે.
Mangalwaar Upay 2023 : આજે મંગળવાર છે અને આજનો દિવસ પવનના પુત્ર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. કારણ કે ભગવાન હનુમાનને સંકટ હર્તા કહેવામાં આવે છે.
એવી માન્યતા છે કે જે વ્યક્તિ ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરે છે, તેના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ આપોઆપ દૂર થઈ જાય છે. તો આવો આજે આ લેખમાં, અમે તમને મંગળવારે એવા ત્રણ ઉપાયો વિશે જણાવીશું, જેને કરવાથી વ્યક્તિનો બેડોપાર થઇ જશે અને તેના જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે.
મંગળવારે કોઈ ભિખારીને ભોજન કરાવો, આ સિવાય વાંદરાઓને ચણા, ગોળ, કેળા અને મગફળી ખવડાવો. સાંજ પહેલા આ ઉપાય કરવાથી ભગવાન હનુમાન જલ્દી પ્રસન્ન થશે. તેનાથી તમારા સ્વાસ્થ્યમાં પણ પહેલા કરતાં સુધાર જોવા મળશે. ખાસ કરીને મંગળવારે લાલ કપડાં પહેરવા જોઈએ, તેનાથી ભગવાન હનુમાન જલ્દી પ્રસન્ન થાય છે.
જો તમારી કુંડળીમાં શનિની કુદ્રષ્ટિ ચાલી રહી છે તો મંગળવારે તુલસીના પાન લો અને તેના પર પીળા ચંદનથી રામ લખો. ધ્યાન રાખો કે 108 તુલસીના પાન લેવાના છે. એવું માનવામાં આવે છે કે મંગળ, શનિ અને રાહુ સંબંધિત તમામ દોષોથી મુક્તિ મળે છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં કોઈ સંકટ નથી આવતું.
ગુલાબની માળા અર્પણ કરો
જો તમે હનુમાન મંદિર જઈ રહ્યા છો તો તેમને ગુલાબના ફૂલની માળા અર્પણ કરો અને સુંદરકાંડનો પાઠ કરો. એવું કહેવાય છે કે આ ઉપાય સતત 11 મંગળવાર સુધી કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને અકાળ મૃત્યુની સંભાવના પણ ટળી જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર