Home /News /dharm-bhakti /Mahavir Jayanti 2023: આ તારીખે ઉજવાશે મહાવીર જયંતિ, જાણો મહાવીર સ્વામીનાં પંચશિલ સિદ્ધાંતો

Mahavir Jayanti 2023: આ તારીખે ઉજવાશે મહાવીર જયંતિ, જાણો મહાવીર સ્વામીનાં પંચશિલ સિદ્ધાંતો

મહાવીર જયંતિ 2023

Mahavir Jayanti 2023 Puja : મહાવીર જયંતિ દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન મહાવીરને જૈન ધર્મના 24મા તીર્થંકર માનવામાં આવે છે. તો ચાલો મહાવીર જયંતિ તિથિ અને આ વર્ષે મહાવીર ભગવાનની પૂજા કઇ રીતે કરવી તેના વિશે વિગતવાર જાણીએ.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: ભારતની પવિત્ર ભૂમિની ખાસિયત છે વિવિધતામાં એકતા. ભારતમાં વિવિધ ધર્મો (Religion in India)નું અનુસરણ કરતા લોકો વસે છે. તેથી જ ભારતમાં તમામ ધર્મોને લગતા ઘણા તહેવારો (Festivals in India) ધામધૂમથી ઉજવવામાં આવે છે. હવે જૈન ધર્મમાં માનનારા લોકો માટે મહાવીર સ્વામીજીની જન્મ જયંતિ (Mahavir Jayanti 2023) આવી રહી છે.

મહાવીર જયંતિ દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની ત્રયોદશી પર ઉજવવામાં આવે છે. ભગવાન મહાવીરને જૈન ધર્મ (Jain Religion)ના 24 તીર્થંકરોમાંથી 24માં તીર્થંકર માનવામાં આવે છે. ભગવાન મહાવીરનો જન્મ ઇ.સ. પૂર્વે 599ની આસપાસ બિહારમાં થયો હતો. ભગવાન મહાવીરનો જન્મ બિહાજના કુંડલપુર રાજ પરિવારમાં થયો હતો. તેમના બાળકનું નામ વર્ધમાન (Vardhaman) હતું. ભગવાન મહાવીરે 30 વર્ષની ઉંમરે સંન્યાસ લઇ લીધો હતો. તો ચાલો મહાવીર જયંતિ તિથિ અને આ વર્ષે મહાવીર ભગવાનની પૂજા (Lord Mahavir Puja) કઇ રીતે કરવી તેના વિશે વિગતવાર જાણીએ.

ક્યારે છે મહાવીર જયંતિ?

મહાવીર જયંતિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ ત્રયોદશીના રોજ ઉજવવામાં આવે છે. આ તારીખ 3 એપ્રિલ, 2023ના રોજ સવારે 6:24 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 4 એપ્રિલે સવારે 8:05 વાગ્યે સમાપ્ત થશે. સૂર્યોદય તિથિને મહત્વ આપીને મહાવીર જયંતી 4 એપ્રિલે મનાવવામાં આવશે. આ વર્ષે ભગવાન મહાવીરની 2621મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

મહાવીર જયંતિ પર આ રીતે કરો પૂજા

જૈનો મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી કરે છે. આ દિવસે તેમના ભક્તો અનેક અનુષ્ઠાનોનું આયોજન કરે છે. ભગવાન મહાવીરની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. કહેવાય છે કે કઠોર તપસ્યા પછી મહાવીરજીએ તેમની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો.

ભગવાન મહાવીરનો પંચશીલ સિદ્ધાંત

ભગવાન મહાવીરે વ્યક્તિને જીવનમાં અનુસરવાના મહત્વના 5 સિદ્ધાંતો આપ્યા છે. આને પંચશીલ સિદ્ધાંતો કહેવામાં આવે છે. આ સિદ્ધાંત સાચા અને શ્રેષ્ઠ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: રવિવારના દિવસે ભૂલથી પણ ન કરતા આ 6 કામ, સૂર્યદેવ થઇ જશે નારાજ, આવશે ખરાબ પરિણામ

સત્ય- મહાવીર ભગવાનનો પહેલો સિદ્ધાંત એ છે કે વ્યક્તિએ હંમેશા સત્ય બોલવું જોઈએ. તમારે પણ આ સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ.

અહિંસા- મહાવીરજીએ હંમેશા પોતાના અનુયાયીઓને અહિંસાનો સંદેશ આપ્યો છે.

અપરિગ્રહ- વ્યક્તિને કોઈ પણ વસ્તુ સાથે અતિ લગાવ ન હોવો જોઈએ. એક સમયે વ્યક્તિએ બધી વસ્તુઓનો ભોગ આપવા તૈયાર રહેવું જોઈએ.

આ પણ વાંચો: હનુમાન જયંતિએ સંકટ નિવારણ માટે કરો આ 5 સરળ ઉપાયો, ચમકી ઉઠશે કિસ્મત



બ્રહ્મચર્ય- મહાવીરજીનો એક સિદ્ધાંત એ છે કે વૈભવથી દૂર બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. વિવાહિત વ્યક્તિએ પોતાના પાર્ટનર પ્રત્યે વફાદાર રહેવું જોઈએ.

ક્ષમા- વ્યક્તિમાં ક્ષમા કરવાની ક્ષમતા હોવી જોઈએ. દરેક સાથે મિત્રતાનો ભાવ હોવો જોઈએ. તેણે લોકોને માફ કરી દેવા જોઈએ.
First published:

Tags: Dharm Bhakti, Hindu dharm