Home /News /dharm-bhakti /gemstone: પન્ના રત્ન ધારણ કરવાથી બદલાઈ જશે આ રાશિના જાતકોની કિસ્મત, શનિદેવ સાથે છે સીધું કનેક્શન

gemstone: પન્ના રત્ન ધારણ કરવાથી બદલાઈ જશે આ રાશિના જાતકોની કિસ્મત, શનિદેવ સાથે છે સીધું કનેક્શન

કન્યા રાશિ માટે પન્ના રત્ન

Lucky gemstone for virgo woman: ઘણા જાતકો શુભ ફળ મેળવવા અને સમસ્યાઓને દૂર રાખવા માટે રત્ન પહેરતા હોય છે. શનિની કૃપા જાળવી રાખવી હોય તો જાતકે રત્ન ધારણ કરવું જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બનશે અને તેના કારણે તમને તમારા કેરિયરમાં સફળતા મળશે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: રાશિ ચક્રની દરેક રાશિનું ખાસ મહત્વ અને વ્યક્તિત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 22 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર વચ્ચે જન્મેલા લોકો કન્યા રાશિ હેઠળ આવે છે. આ રાશિના જાતકોને સમજદાર અને બુધ્ધિશાળી માનવામાં આવે છે. આ જાતકો કામ કરવામાં પાછળ રહેતા નથી અને તેમને કામમાં પરફેક્શન ખૂબ જ ગમે છે.

કન્યા રાશિના જાતકો વિનમ્ર સ્વભાવના હોય છે. તેઓ પોતાની લાગણીઓ જાહેર કરતાં નથી અને તેને છુપાવતા હોય છે. તેઓની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેઓ જીવનસાથી પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હોય છે. ઘણા જાતકો શુભ ફળ મેળવવા અને સમસ્યાઓને દૂર રાખવા માટે રત્ન પહેરતા હોય છે. અહીં કન્યા રાશિના જાતકો કયો રત્ન પહેરી શકે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

કહેવાય છે કે, શનિની કૃપા જાળવી રાખવી હોય તો જાતકે રત્ન ધારણ કરવું જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બનશે અને તેના કારણે તમને તમારા કેરિયરમાં સફળતા મળશે.

આ પણ વાંચો: નિયતિ પલટ રાજયોગ: ફેબ્રુઆરીમાં બની રહ્યો છે ખુબ જ દુર્લભ યોગ, આ રાશિઓને મળશે પૈસાની તંગીથી છુટકારો

આ રત્ન છે સૌથી શક્તિશાળી

કન્યા રાશિના જાતકોએ પન્ના રત્ન પહેરવું જોઈએ, જો કે તેઓ કોર્નેલિયન, ઝિરકોન, પેરિડોટ અને સરડોનિક્સ રત્ન પણ પહેરી શકે છે. આ તમામ રત્નોમાંથી પન્ના રત્નોને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્ન પહેરવાથી સોજો, ટયૂમર અને સાંભળવામાં તકલીફ જેવા રોગોમાં રાહત થાય છે.

પન્ના શા માટે ભાગ્યશાળી ગણાય છે?

બુધ કન્યા રાશિનો સ્વામી છે. આવી સ્થિતિમાં જો આ રાશિના લોકો નીલમણિ રત્ન પહેરે છે, તો તે તેમના ભાગ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. રત્નશાસ્ત્ર અનુસાર પન્ના રત્નનો સંબંધ શનિદેવ સાથે છે. જે લોકો આ રત્ન ધારણ કરે છે, તેમને શનિની કૃપા રહે છે અને તેઓ તેમની સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરવા લાગે છે. આ રત્ન ધારણ કરવાથી કન્યા રાશિના જાતકોનું વ્યક્તિત્વ આગળ વધવા લાગે છે. આ રત્નની અસરના કારણે જાતકને શારીરિક, માનસિક અને આર્થિક ફાયદો થતો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: Astro Tips 2023: ઘરમાં-મંદિરમાં લગાવો આ શુભ ચિહ્નો, તમામ કાર્યો ઝડપથી પાર પડશે



મહિલાઓ કયા રત્ન પહેરી શકે?

કન્યા રાશિની મહિલાઓ નીલમણિ તેમજ પેરિડોટ, જેસ્પર, ગ્રીનરી અને જેડ રત્નો પહેરી શકે છે.
First published:

Tags: Astro, Dharm Bhakti, Stone