Home /News /dharm-bhakti /Guru Gochar 2023: બૃહસ્પતિના ગોચરથી બનશે અખંડ સામ્રાજ્ય રાજયોગ, આ રાશિના જાતકોનું બદલાઈ જશે ભાગ્ય

Guru Gochar 2023: બૃહસ્પતિના ગોચરથી બનશે અખંડ સામ્રાજ્ય રાજયોગ, આ રાશિના જાતકોનું બદલાઈ જશે ભાગ્ય

ગુરુ ગોચર 2023 અખંડ સામ્રાજ્ય રાજયોગ

Jupiter Transit Akhand Samrajya yog 2023: કુંડળીમાં લાંબા સમય સુધી કોઈ ગ્રહ સંપત્તિના ઘર એટલે કે બીજા અને અગિયારમા ભાવમાં ગોચર કરે છે, ત્યારે અખંડ સામ્રાજ્ય રાજયોગ રચાય છે. વૈદિક જ્યોતિષમાં આ યોગને અત્યાધિક ફળદાયી અને અનુકૂળ માનવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ યોગથી કોને લાભ થશે.

વધુ જુઓ ...
જ્યોતિષ અનુસાર નક્ષત્ર તેમજ ગ્રહોની ચાલ અથવા રાશિ પરિવર્તન કુંડળીમાં બનવા વાળા યોગ અને દોષનું મુખ્ય કારણ હોય છે. જયારે કોઈ જાતકોની કુંડળીમાં શુભ યોગ બને છે, તો એનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાં જ, અશુભ યોગ એમના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ લઇને આવે છે. એ જ ક્રમમાં આજે અમે એક અત્યંત પવિત્ર યોગ અંગે વાત કરી રહ્યા છે, જે અખંડ સામ્રાજ્ય રાજયોગ નામથી ઓળખાય છે. આઓ જાણીએ છે આ યોગથી કઈ ત્રણ રાશિનું ભાગ્ય બદલાઈ જશે.

જ્યારે કુંડળીમાં લાંબા સમય સુધી કોઈ ગ્રહ સંપત્તિના ઘર એટલે કે બીજા અને અગિયારમા ભાવમાં ગોચર કરે છે, ત્યારે અખંડ સામ્રાજ્ય રાજયોગ રચાય છે. હાલમાં ગુરુ અને શનિના પ્રભાવથી આ દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષમાં આ યોગને ખૂબ જ ફળદાયી અને અનુકૂળ માનવામાં આવે છે. તેના પ્રભાવથી વ્યક્તિની આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ થાય છે અને પારિવારિક જીવનમાં સુખ-શાંતિ વધે છે.

ગુરુ ગોચરનો સમય - મીન રાશિ સિવાય, ગુરુ 22 એપ્રિલ 2023ના રોજ સવારે 03.33 કલાકે તેની અનુકૂળ રાશિ મેષ રાશિમાં ગોચર કરશે.

મેષ

મેષ રાશિના જાતકોને ગુરુના ગોચરથી બનેલા અખંડ સામ્રાજ્ય યોગથી આર્થિક લાભ થશે. પૈસા અચાનક પ્રાપ્ત થશે. વેપારી વર્ગ માટે આ સમય સાનુકૂળ અને લાભદાયક છે. શેરબજારમાં રોકાણ કરવાથી મોટો ફાયદો મળવાની પ્રબળ સંભાવના છે.

આ પણ વાંચો: Brihaspati Ast 2023: દેવગુરુ બૃહસ્પતિ થશે અસ્ત, આ રાશિઓએ રહેવું પડશે સાવધાન

મિથુન

મિથુન રાશિના લોકોને ગુરુના ગચર અને શનિના પ્રભાવથી બનેલા અખંડ સામ્રાજ્ય યોગથી આર્થિક લાભ થશે. 17 જાન્યુઆરીએ આ રાશિના લોકોને શનિની ઢૈયામાંથી મુક્તિ મળી છે. બીજી તરફ, 22 એપ્રિલે ગુરુનું ગોચર થશે અને તેની સાથે મિથુન રાશિના લોકો માટે આર્થિક લાભની સંભાવનાઓ બની રહી છે. નોકરી બદલવા માટે એપ્રિલ મહિનો સાનુકૂળ છે. નોકરીમાં પ્રમોશનની પણ સંભાવના છે.

આ પણ વાંચો: Shani Dev: 30 જાન્યુઆરીએ કુંભ રાશિમાં અસ્ત થશે શનિ દેવ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર



મકર

મકર રાશિવાળા માટે અખંડ સામ્રાજય યોગ સમૃદ્ધ રહેશે. શનિ તમારા ધનના ઘરમાં બિરાજમાન થશે અને તેની અસરથી તમને તમારું જૂનું ધન મેળવવામાં સફળતા મળશે જે કોઈક રીતે અટવાઈ ગઈ હતી. પરિવાર અને સંબંધીઓ સાથેના સંબંધો સુધરશે. તમને સમાજમાં પદ અને પ્રતિષ્ઠા મળશે.
First published:

Tags: Dharm Bhakti, Guru Gochar, Rashi Parivartan