Home /News /dharm-bhakti /Jaya Ekadashi 2023: 1 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે જયા એકાદશી, ભૂલથી પણ ન કરશો આ કાર્યો

Jaya Ekadashi 2023: 1 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે જયા એકાદશી, ભૂલથી પણ ન કરશો આ કાર્યો

જયા એકાદશી 2023

Jaya Ekadashi 2023: આ વખતે જયા એકાદશીનું વ્રત 01 ફેબ્રુઆરી 2023ના રોજ રાખવામાં આવશે. આ એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ ભૂત, પ્રેત અને પિશાચ જેવી દુષ્ટ આત્માઓથી મુક્ત રહે છે. જયા એકાદશીના દિવસે કેટલાક એવા કાર્યો છે જે વર્જિત માનવામાં આવે છે. ચાલો જાણીએ એ કામો વિશે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: મહા માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જયા એકાદશીને મહત્વપૂર્ણ વ્રતોમાંનું એક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. આ એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભૂત, પ્રેત અને પિશાચ જેવા નીચ યોનીમાંથી મુક્તિ મળે છે. આ વખતે જયા એકાદશીનું વ્રત 1 ફેબ્રુઆરી, 2023ના રોજ રાખવામાં આવશે. જયા એકાદશીના દિવસે કેટલાક કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે. આવો જોઈએ આ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ.

મોડે સુધી ન ઉંઘો

જયા એકાદશી ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે, તેથી આ દિવસે સવારે વહેલા ઉઠવું જોઈએ અને સંધ્યા કાળના સમયે પણ ઊંઘવું જોઈએ નહીં.

ભોજનમાં સંયમ રાખો

ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે એકાદશી વ્રત રાખવામાં આવે છે. તેથી જ જયા એકાદશીના દિવસે તમારે તમારા ખાવા-પીવામાં સંયમ રાખવો જોઈએ અને સાત્વિકતાનું પાલન કરવું જોઈએ. આમ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ચોખાનુ સેવન ન કરો

ભૂલથી પણ એકાદશી પર ચોખાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ એકાદશી પર ચોખાનું સેવન કરે છે, તેનો જન્મ કોઈ સરિસૃપ જીવની યોનિમાં થાય છે.

આ પણ વાંચો:  જયા એકાદશીના દિવસે બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 3 યોગ, ભદ્રાનો પણ છાયો, આ રીતે કરો પૂજા

લડાઈ ઝગડા ન કરો

શાસ્ત્રો અનુસાર, તમામ તિથિઓમાં એકાદશી તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. એકાદશીના દિવસે કોઈપણ પ્રકારના ઝઘડાથી દૂર રહેવું જોઈએ. એકાદશીના દિવસે ગુસ્સો કરવાથી બચો. આ દિવસે જૂઠું પણ ન બોલવું જોઈએ. કોઈનું અપમાન ન કરવું જોઈએ.

બ્રહ્મચર્યનુ પાલન કરો

જયા એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ, જેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: Magh Purnima 2023: માઘ પૂર્ણિમા ક્યારે છે? જાણો સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને મહત્વ



જયા એકાદશીના શુભ મુહુર્ત 

હિન્દુ કેલેન્ડર મુજબ, જયા એકાદશી 31 જાન્યુઆરી, 2023ના રોજ રાત્રે 11.53 કલાકે શરૂ થશે અને 1 ફેબ્રુઆરી, 2023ના રોજ બપોરે 02.01 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, જયા એકાદશી 1 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવશે. જયા એકાદશીના પારણાનો સમય 02 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 07.09 થી 09.19 કલાક સુધીનો રહેશે. ઉપરાંત, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07:10 કલાકથી 2 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ 03:23 કલાક સુધી રહેશે.
First published:

Tags: Dharm Bhakti, Lord Vishnu

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો