ધર્મ ડેસ્ક: મહા માસમાં આવનારી એકાદશીના દિવસે જયા એકાદશીનું વ્રત ઉજવવામાં આવે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ વખતે 31 જાન્યુઆરીના રોજ બપોરે 12:08 વાગ્યાથી જયા એકાદશી શરૂ થઈ રહી છે અને તે 1 ફેબ્રુઆરી બપોરે 02:16 વાગ્યા સુધી રહેશે. આ વ્રતન પારણાં બારશના દિવસે કરવામાં આવે છે. આ કારણોસર 2 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી પારણાં કરી શકાય છે. હિંદુ ધર્મની તિથિઓમાં એકાદશીનું સૌથી વધુ મહત્તવ છે.
ભગવાન વિષ્ણુને આ તિથિ ખૂબ જ પ્રિય છે. આ વખતે 1 ફેબ્રુઆરીના રોજ જયા એકાદશીએ ચાર યોગ બની રહ્યા છે. 1 ફેબ્રુઆરીના દિવસે ગ્રહ અને નક્ષત્રથી ઇન્દ્ર અને અમૃત યોગ બની રહ્યો છે. ગુરુ ગ્રહની વાત કરવામાં આવે તો ગુરુ મીન રાશિમાં રહેશે, જેના કારણે હંસ નામનો મહાપુરુષ યોગ બની રહ્યો છે. તિથિ, વાર અને નક્ષત્રથી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. આ ચાર યોગના કારણે જયા એકાદશીના વ્રતનું પુણ્ય વધી રહ્યું છે. આ દિવસે દાન પુણ્ય કરવાથી અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે.
જયા એકાદશીની તારીખ- 1 ફેબ્રુઆરી 2023
મુહૂર્ત
એકાદશી વ્રતનું મહત્ત્વ
રાહુકાળમાં ન કરો શુભ કાર્ય
જયા એકાદશી વ્રતના દિવસે બપોરે 12:35 વાગ્યાથી 01:56 વાગ્યા સુધી રાહુકાળ શરૂ થાય છે. રાહુકાળમાં કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને યાત્રાનો પ્રારંભ પણ કરવામાં આવતો નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Dharm Bhakti, Lord Vishnu