Home /News /dharm-bhakti /Hindu Flag Significance: મંદિર પર શા માટે ચડાવવામાં આવે છે ધજા? જાણો ઘરમાં લગાવવા માટેના નિયમો
Hindu Flag Significance: મંદિર પર શા માટે ચડાવવામાં આવે છે ધજા? જાણો ઘરમાં લગાવવા માટેના નિયમો
ધજાને સંસ્કૃતિ, વિજય અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. (Image- Shutterstock)
Hindu Flag Significance: સનાતન પરંપરામાં ધજાને સંસ્કૃતિ, વિજય અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક કાર્યક્રમોમાં ફરકાવવામાં આવતી ધાર્મિક ધજા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ ધજાને ઘરમાં લગાવવી હોય તો તેને હંમેશા ઘરની ઉપર વાયવ્ય કોણમાં લગાવવી જોઈએ.
Hindu Flag Significance: હિંદુ (Hindu) ધર્મમાં દેવી-દેવતાઓના નામ પર મંદિરો (Temple)માં ચડાવવામાં આવતી ધજા કે પતાકાનું ઘણું મહત્વ છે. તમે જોયું હશે કે મહાભારત (Mahabharat)માં અર્જુનના રથ પર ધજા સ્વરૂપે સ્વયં ભગવાન હનુમાન બિરાજતા હતા. આજે પણ લોકો ઘણી વાર પોતપોતાની આરાધના અનુસાર પવિત્ર ધજાને તેમના વાહનમાં લગાવે છે. તો મનોકામના પૂરી થાય તે માટે લોકો પોતાની ક્ષમતા અનુસાર નાની કે મોટી ધજા તિથિ-તહેવારો પર મંદિરોમાં અર્પણ કરવા માટે પહોંચે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ મંદિર અથવા ઘરમાં આ પવિત્ર ધજા શા માટે ફરકાવવામાં આવે છે?. આ ધ્વજને લહેરાવવાની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? ચાલો ધજા સાથે જોડાયેલા ધાર્મિક-આધ્યાત્મિક મહત્વ વિશે જાણીએ.
કેવી રીતે શરૂ થઈ ધજા લગાવવાની પરંપરા
માન્યતા છે કે પ્રાચીન કાળમાં જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું તો તે સમયે તમામ દેવતાઓએ પોતપોતાના રથ પર જે પણ ચિહ્નો લગાવ્યા, કાલાન્તરે તે તેમના ધ્વજ બન્યા. માન્યતા છે કે મંદિર, વાહન વગેરેમાં આ ધજા લગાવવાની પરંપરા ત્યારથી શરૂ થઈ. મંદિરોમાં લગાવવામાં આવેલી ધજાઓ પાછળ એવી માન્યતા છે કે તે માત્ર મંદિરની જ નહીં પરંતુ સમગ્ર શહેરની રક્ષા કરે છે.
સનાતન પરંપરામાં ધજાને સંસ્કૃતિ, વિજય અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક કાર્યક્રમોમાં ફરકાવવામાં આવતી ધાર્મિક ધજા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, આ ધજાને ઘરમાં લગાવવી હોય તો તેને હંમેશા ઘરની ઉપર વાયવ્ય કોણમાં લગાવવી જોઈએ. વાયવ્ય કોણમાં લાગેલી ધર્મ ધજા અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે.
ઘરે ધજા કઈ રીતે લગાવવી
દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પોતાના આરાધ્ય દેવી-દેવતા સંબંધિત ધ્વજ લગાવી શકે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની છત પર સ્વસ્તિક અથવા ઓમ લખેલી ત્રિકોણાકાર કેસરી ધજા લગાવવી શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે કેસરી ધ્વજમાં ઉગતા સૂર્યના કિરણો સમાવિષ્ટ હોય છે, જે અંધકારનો નાશ કરે છે અને માત્ર વિશ્વમાં જ નહીં પરંતુ વ્યક્તિના જીવનમાં પણ પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે.
હિંદુ ધર્મમાં પ્રત્યેક દેવી-દેવતાથી સંબંધિત ધજા તેમના વાહનનું પ્રતીક હોય છે. જેમ વિષ્ણુજીની ધજા પર ગરુડ, શિવજીની ધજા પર વૃષભ, બ્રહ્માજીની ધજા પર કમળનું ચિહ્ન, ગણપતિની ધજા પર મૂષક, સૂર્યનારાયણની ધજા પર વ્યોમ, દેવી દુર્ગાની ધજા પર સિંહ, કાર્તિકેયની ધજા પર મોર, કામદેવની ધજા પર મકરનું ચિહ્ન અંકિત હોય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર