Home /News /dharm-bhakti /300 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા પછી થઇ હતી ચંદ્રની ઉત્પત્તિ, કર્યા હતા 27 કન્યાઓ સાથે લગ્ન, જાણો પૌરાણિક કથા
300 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા પછી થઇ હતી ચંદ્રની ઉત્પત્તિ, કર્યા હતા 27 કન્યાઓ સાથે લગ્ન, જાણો પૌરાણિક કથા
ચંદ્રની ઉત્પત્તિની કથા
Hindu Dharma Moon Story: હિન્દૂ ધર્મમાં ચંદ્રને પ્રમુખ દેવતા તેમજ ગ્રહ માનવામાં આવે છે. એમને સમુદ્ર તો ક્યાંક અત્રિ પુત્ર પણ કહેવામાં આવે છે. પદ્મ તેમજ મત્સ્ય પુરાણ અનુસાર તેઓ દિશાઓના ગર્ભમાં 300 વર્ષ રહ્યા.
હિન્દૂ ધર્મમાં ચંદ્રમાને દેવ ગ્રહના રૂપમાં જોવામાં આવે છે. ચંદ્રનો જન્મ તેમજ ચરિત્રથી સબંધિત પુરાણોમાં ઘણી કથાઓ પણ છે. જેમાં કલ્પ ભેદ અનુસાર ચંદ્રને સમુદ્ર તો અત્રિનો પુત્ર જણાવવામાં આવ્યો છે. જેની સાથે પ્રજાપિતા દક્ષે પોતાની 27 કન્યાઓના લગ્ન કરાવ્યા હતા. આ સબંધમાં પદ્મ તેમજ મત્સ્ય પુરાણોની કથામાં ચંદ્રના 300 વર્ષ સુધી ગર્ભમાં રહેવાની કથા પણ છે. આજે અમે તમને એ જ કથા જણાવી રહ્યા છે.
ચંદ્રની ઉત્પત્તિની કથા
પંડિત રામચંદ્ર જોશીના મતે મત્સ્ય અને પદ્મ પુરાણમાં ચંદ્રના દિશાઓના ગર્ભમાં 300 વર્ષ સુધી રહેવાનો ઉલ્લેખ છે. પુરાણો અનુસાર, ભૂતકાળમાં, બ્રહ્માએ તેમના માનસ પુત્ર અત્રિને બ્રહ્માંડની રચના કરવાનો આદેશ આપ્યો હતો. મહર્ષિએ આના પર કઠોર તપ કર્યું. તેના પ્રભાવથી પરમાત્મા બ્રહ્મા મહર્ષિના મન અને આંખોમાં સ્થિત થઈ ગયા. તે સમયે માતા પાર્વતીની સાથે ભગવાન શિવે પણ અત્રિના મન અને આંખોને પોતાનું અધિયમ બનાવ્યું હતું. જેમને જોઈને ચંદ્ર શિવનાલલાટ ચંદ્ર તરીકે પ્રકટ થઇ ગયા. તે સમયે મહર્ષિ અત્રિની આંખમાંથી જળ નીચે તરફ આવી ગયું. જેના કારણે સમગ્ર વિશ્વ પ્રકાશથી ભરાઈ ગયું હતું. દિશાઓએ એ મહિમાને સ્ત્રીના રૂપમાં ગર્ભમાં ધારણ કરી લીધો.
તેઓ પછી 300 વર્ષ સુધી તેમના ગર્ભ સ્વરૂપમાં રહ્યા. જ્યારે દિશાઓ તેમને ધારણ કરવામાં અસમર્થ થઇ ગઈ ત્યારે તેમણે તેનો ત્યાગ કર્યો, ત્યારબાદ ભગવાન બ્રહ્માએ તે ગર્ભ ઉપાડીને યુવાન પુરુષમાં બદલી નાખ્યા. તેઓ તેને તેમના લોકમાં લઇ ગયા. જ્યાં તે પુરુષને જોઈ બ્રહ્મર્ષિઓએ તેમને પોતાના ગુરુ બનાવવાની વાત કરી.
આ પછી, દેવતાઓ, ગંધર્વો અને ચિકિત્સકોએ બ્રહ્મ લોકમાં સોમદૈત્વ નામના વૈદિક મંત્રો સાથે ચંદ્રની પૂજા કરી. તેનાથી ચંદ્રનું તેજ વધુ વધી ગયું. પછી તે તેજ સમૂહમાંથી પૃથ્વી પર દિવ્ય ઔષધિઓ પ્રગટ થઇ. ત્યારથી ચંદ્ર ઔષધીશ કહેવાયા. આ પછી દક્ષ પ્રજાપતિએ પોતાની 27 દીકરીઓને ચંદ્રને પત્ની તરીકે આપી. ચંદ્રે 10 લાખ વર્ષ સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. તેમનાથી પ્રભાવિત થઈને ભગવાને તેમને ઈન્દ્રલોકમાં વિજયી થવા સહિત અનેક વરદાન આપ્યાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર