Guru Vakri: દેવગુરુ બૃહસ્પતિ મહારાજ 29 જુલાઈથી 120 દિવસ માટે બન્યા વક્રી, જાણો વક્રી ગુરુની આપની રાશિ પરની અસર?
Guru Vakri: દેવગુરુ બૃહસ્પતિ મહારાજ 29 જુલાઈથી 120 દિવસ માટે બન્યા વક્રી, જાણો વક્રી ગુરુની આપની રાશિ પરની અસર?
જાણો વક્રી ગુરુની આપની રાશિ પરની અસર
Guru Vakri 2022: હાલના સમયમાં વક્રી ગ્રહોનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે. વક્રી ગ્રહો પૂર્વ જન્મનું ઋણાનુબંધન દર્શાવનાર હોય છે વ્યક્તિગત કુંડળીમાં (Kundali) જયારે વક્રી ગ્રહો વધારે હોય ત્યારે તે વ્યક્તિ આ જન્મમાં ઘણા બધા પૂર્વ જન્મના અધૂરા કાર્ય પૂર્ણ કરવા આવેલ હોય છે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
દેવગુરુ બૃહસ્પતિ મહારાજ 29 જુલાઈથી 120 દિવસ માટે વક્રી બની (Guru vakri) રહ્યા છે વળી શનિ મહારાજ તો વક્રી (Shani Vakri) ચાલી જ રહ્યા છે અને 10 સપ્ટેમ્બરથી બુધ પણ વક્રી થશે. રાહુ અને કેતુ હંમેશા વક્રી જ ચાલતા હોય છે માટે હાલના સમયમાં વક્રી ગ્રહોનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે. વક્રી ગ્રહો પૂર્વ જન્મનું ઋણાનુબંધન દર્શાવનાર હોય છે વ્યક્તિગત કુંડળીમાં (Kundali) જયારે વક્રી ગ્રહો વધારે હોય ત્યારે તે વ્યક્તિ આ જન્મમાં ઘણા બધા પૂર્વ જન્મના અધૂરા કાર્ય પૂર્ણ કરવા આવેલ હોય છે.
ગોચર માં જયારે એ જ ગ્રહ વક્રી થાય કે જે જાતકની જન્મકુંડળીમાં પણ વક્રી હોય ત્યારે તે મુજબના ઋણાનુબંધન અને અન્ય કાર્ય પૂર્ણ થતા હોય છે. શનિ વક્રી થવાની મહત્તમ અસર વ્યવસાય અને તેને લગતી બાબત પર પડતી હોય છે જયારે દેવગુરુ બૃહસ્પતિ મહારાજ વક્રી થાય ત્યારે સબંધો માં અને અધ્યાત્મ બાબતે અને સંતાન બાબતે કાર્ય કરાવતા હોય છે.
મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે ગુરુ મહારાજ વક્રી બને ત્યારે સાધકોની સાધનામાં મહત્વના મુકામ આવે છે અને અલગ જ આધ્યાત્મિક અનુભવ પણ થાય છે.
એસ્ટ્રલ ટ્રાવેલ જેવા અનુભવો પણ સાધના માર્ગે આ સમયમાં થઇ શકે છે વળી અગાઉના કર્મ વિષેની સમજ પણ આ સમયમાં પ્રાપ્ત થાય છે વળી મંત્રના પુરશ્ચરણ પણ આ ગાળામાં થતા જોવા મળે છે. વક્રી ગ્રહને પરિણામ આપવામાં બળવાન ગણવામાં આવ્યા છે વળી ત્વરિત પરિણામ આપતા પણ જોવા મળે છે આગામી સમયમાં ત્રણ ગ્રહો એક સાથે વક્રી થશે ત્યારે આ બધા પરિણામો જોઈ શકાશે.
ગુરુ મહારાજના વક્રી થવાની રાશિ મુજબ અસર..
મેષના જાતકોમાં દાન ધર્મની ભાવના વધશે અને યાત્રા પ્રવાસ થશે
લેખક પરિચય: લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 79905 00282 છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર