Home /News /dharm-bhakti /મહિલાઓ શા માટે નથી પહેરતી સોનાના પાયલ, જાણો શું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ?

મહિલાઓ શા માટે નથી પહેરતી સોનાના પાયલ, જાણો શું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ?

સોનાની પાયલ

Golden Payal : સોનું પહેરવું એ મહિલાઓની પહેલી પસંદ છે. તેમની પાસે ઘણા બધા સોનાના આભૂષણો છે, પરંતુ એક વાત નોટિસ કરવા જેવી છે કે કોઈ પણ સ્ત્રી ક્યારેય પોતાના પગમાં સોનાના ઘરેણા પહેરતી નથી. પગમાં સોનાના ઘરેણા ન પહેરવાની પરંપરા સદીઓ જૂની છે. શું છે તેની પાછળનું કારણ, જાણો આ લેખમાં.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: ભારતવર્ષમાં શરીર પર સોના-ચાંદી અને હીરા જવેરાતના ઘરેણાં ધારણ કરવાની પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. મહિલાઓ દ્વારા સોનુ તેમજ ચાંદીના ઘરેણાં ધારણ કરવું, એમની સુંદરતાનું એક અભિન્ન અંગ રહે છે. માત્ર ભારતવર્ષમાં જ નહિ, દુનિયાના અનેક દેશોમાં સોનુ મહિલાઓની પહેલી પસંદગી છે. પરિણત મહિલાઓ ભારતવર્ષમાં સોના ચાંદીના ઘરેણાં પહેરે છે, પરંતુ તમે જોયું હશે કે સોનાના ઘરેણાં માત્ર કમર સુધી જ ધારણ કરવામાં આવે છે. સોનાને ક્યારે પણ પગમાં નથી પહેરતા. પગમાં વધુ ચાંદીના બનેલા ઘરેણાં પહેરવામાં આવે છે. ઘણા લોકો આ પાછળનું કારણ જાણતા નથી પરંતુ ભોપાલના જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે, એની પાછળ શું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે.

પગમાં સોનું ન પહેરવાનું ધાર્મિક કારણ

હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, સોનાને ભગવાન વિષ્ણુની પ્રિય ધાતુ કહેવામાં આવે છે. આ સિવાય સોનાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પગમાં પહેરવામાં આવતા પાયલ કે ખીજડા જેવા આભૂષણો જો સોનાની ધાતુથી બનાવીને પહેરવામાં આવે તો તે દેવી-દેવતાઓનું અપમાન થશે. સોનું કમરની નીચે પહેરવામાં આવતું નથી કારણ કે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને વ્યક્તિ આર્થિક સંકટનો સામનો કરી શકે છે. આ સાથે પગમાં સોનું પહેરવાથી ભગવાન વિષ્ણુના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: Dharm: આ પાંચ પ્રસંગો પર રોટલી બનાવવી માનવામાં આવે છે અશુભ, જાણો શું કહે છે શાસ્ત્રો

પગમાં સોનું ન પહેરવાનું વૈજ્ઞાનિક કારણ

જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો વિજ્ઞાન અનુસાર સોનાના ઘરેણા શરીરમાં ગરમી વધારે છે જ્યારે ચાંદીના ઘરેણાં શરીરને ઠંડક આપે છે. કમરની ઉપર સોનાના ઘરેણા અને કમરની નીચે ચાંદીના ઘરેણા પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે.

આ પણ વાંચો: Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ



જો શરીર પર માત્ર સોનાના આભૂષણો જ પહેરવામાં આવે તો આખા શરીરમાં ઉર્જાનો સમાન પ્રવાહ થાય છે, જેના કારણે શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. બીજી તરફ જો સોના-ચાંદીના ઘરેણાને સંતુલિત માત્રામાં શરીરમાં પહેરવામાં આવે તો અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી બચી શકાય છે.
First published:

Tags: Dharm Bhakti

विज्ञापन