Home /News /dharm-bhakti /Garlic: ઉન્નતિ અને ધન લાભ માટે કરો લસણના આ સરળ ઉપાય!

Garlic: ઉન્નતિ અને ધન લાભ માટે કરો લસણના આ સરળ ઉપાય!

લસણના ઉપાય

Garlic Remedies: દરેક વ્યક્તિ મહેનત કરીને પૈસા કમાય છે. પૈસા કમાવવા અને તે પૈસાનો સંગ્રહ કરવો દરેક માટે શક્ય નથી. એવા ઘણા લોકો છે જેઓ ઘણા પૈસા કમાય છે પરંતુ તે એકત્રિત કરવામાં અસમર્થ છે. જ્યોતિષ શાસ્ત્રમાં પૈસા એકત્રિત કરવાની ઘણી રીતો છે. જે તમારા ઘરમાં સરળતાથી મળી શકે છે.

વધુ જુઓ ...
ધનવાન બનવું બધાનું સપનું હોય છે. એના માટે તેઓ ઘણી મહેનત પણ કરે છે. પરંતુ ઘણા લોકો ફરિયાદ પણ કરે છે કે મહેનત કરવા છતાં પણ પરિણામ મળતું નથી. એ પછી પણ જે ધન મળે છે તે એમની પાસે ટકતું નથી. જ્યોતિષ શાસ્ત્રમાં ધન આગમન અને ધનના રોકાણ અંગે ઉપાય જણાવવામાં આવ્યા છે. જેને અજમાવી તમે લાભ મેળવી શકો છો. જો તમે પણ એ વ્યક્તિમાંથી એક છો જેની સાથે આ સમસ્યા થઇ રહી છે તો આજે આપણને ભોપાલના રહેવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા લસણના કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છે, જેને કરવાથી તમારી કીસ્મત બદલાઈ શકે છે, આઓ જાણીએ છે એ કયા ઉપાય છે.

- મોટાભાગના લોકો લસણનો ઉપયોગ આંખની ખામી દૂર કરવા માટે કરે છે. પરંતુ તમે લસણની મદદથી અમીર પણ બની શકો છો. આ માટે તમારે તમારા પર્સમાં લસણની એક કળી રાખવી પડશે. આ ઉપાય તમે શનિવારે કરી શકો છો. આમ કરવાથી તમને પૈસાની કમી નહીં થાય.

- લસણનો આ ઉપાય એવા લોકો માટે અસરકારક છે જેમના ઘરમાં પારિવારિક અણબનાવ છે. આ માટે લસણની સાત કળીને એક પાતળી લાકડીમાં લગાવી શનિવારે તમારા ઘરના આંગણા કે ધાબા પર રાખો. આમ કરવાથી જો ઘરમાં નજર દોષની સમસ્યા હોય તો તે દૂર થાય છે, સાથે જ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

આ પણ વાંચો: Astro Tips: આ અક્ષરના નામ વાળા લોકો લગ્ન પછી બને છે ધનવાન, ચમકી ઉઠે છે કિસ્મત!

- જો કોઈ વ્યક્તિ બિઝનેસમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હોય તો આવી વ્યક્તિએ શનિવારે લાલ કપડામાં લસણની પાંચ કળીઓ બાંધીને પોતાના કાર્યક્ષેત્રના મુખ્ય દરવાજા પર લટકાવી દેવી જોઈએ. આમ કરવાથી ધંધામાં આવતી અડચણો દૂર થશે. તે જ સમયે, તમને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને પૈસા આવવાનો માર્ગ ખુલશે.

આ પણ વાંચો: Astrology: શા માટે લોખંડનું દાન કરવું માનવામાં આવે છે અશુભ? આ વસ્તુઓનું દાન પણ નિષેધ



- જો કોઈ વ્યક્તિને ઘણી મહેનત અને પરિશ્રમ કર્યા પછી પણ પૈસા ન મળી રહ્યા હોય તો આવા વ્યક્તિએ લાલ રંગની પોટલીમાં લસણની બે કળીઓ બાંધીને તેને જમીનની નીચે દાટી દેવી જોઈએ. ધ્યાન રાખો કે આ કરતી વખતે તમને કોઈ જોઈ ન શકે. આમ કરવાથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલશે.
First published:

Tags: Astro Tips, Dharm Bhakti, GARLIC

विज्ञापन