Home /News /dharm-bhakti /Bad Dreams Feng sui: ડરામણા સપનાથી અપાવશે છુટકારો ફેંગશુઈનું આ ડ્રિમકેચર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

Bad Dreams Feng sui: ડરામણા સપનાથી અપાવશે છુટકારો ફેંગશુઈનું આ ડ્રિમકેચર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

ડરામણા સપનાથી અપાવશે છુટકારો

Dream Catcher: કેટલાક લોકોને સપના આવવા ખૂબ જ સામાન્ય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે સપનાથી ખૂબ જ નર્વસ થઈ જાય છે. કેટલાક સપના ડરામણા હોય છે, જેનો ડર મનમાં બેસી જાય છે અને વ્યક્તિ અસ્વસ્થતા અનુભવવા લાગે છે. ફેંગશુઈમાં આ સમસ્યાનો સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: દરેક વ્યક્તિ સૂતી સમયે સપના જોય છે જે એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. ઘણા સપના સારા હોય છે ઘણા સપના ખુબ ડરામણા હોય છે પરંતુ ઘણા સપના એટલા ભયાનક હોય છે એમના કારણે આપણી દિનચર્યા પર ખુબ ઇફેક્ટ થાય છે. આ બધા મનુષ્યોને એમના આવનારા ભવિષ્ય માટે સચેત કરે છે. આ સપના સંકેત આપે છે કે શું તમારી સાથે શુભ થવાનું છે કઈ અશુભ ઘટના બનવાની છે. ઘણી વખત એક જ સપનું વારંવાર જોવાથી લોકોના મનમાં ભય પેદા થઇ જાય છે. ડરામણા સપનાથી બચવા માટે ચાઇનીસ વાસ્તુ શાસ્ત્રમાં ડ્રિમકેચર અને વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આઓ આ વિષયમાં જાણીએ છે ભોપાલ નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે.

ડ્રીમ કેચર શું છે

ડ્રીમ કેચર્સ ખૂબ જ સુંદર દેખાતું એક લટકતા તત્વો છે. તેમાં ખૂબ જ રંગીન અને સુંદર પીંછા હોય છે. દેખાવમાં આકર્ષક ડ્રીમ કેચરનો ઉપયોગ ઘરની સજાવટ તરીકે પણ થાય છે. ફેંગશુઈમાં તેને લગાવવાના ઘણા ફાયદા છે.

ડ્રીમકેચર લગાવવાના ફાયદા

ફેંગશુઈ અનુસાર જે વ્યક્તિ પોતાના ઘરમાં ડ્રિમકેચર લગાવે છે તેનાથી નકારાત્મક શક્તિઓની અસર ઓછી થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.

ખરાબ સપનાથી છુટકારો

ફેંગશુઈમાં એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિને સતત ખરાબ અને ડરામણા સપના આવે છે તેણે પોતાના ઘરમાં ડ્રીમકેચર લગાવવું જોઈએ. આમ કરવાથી તે વ્યક્તિ ખરાબ સપનાથી છુટકારો મેળવી શકે છે.

આ પણ વાંચો: Dream Indication: જો સપનામાં દેખાય આ રંગનું ફૂલ, તો સમજી જાઓ થવાની છે ધનવર્ષા

વાસ્તુ દોષ દૂર થાય છે

ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં ડ્રીમ કેચર હોય છે. તે ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે.

ડ્રીમ કેચરને કઈ દિશામાં રાખવું

ફેંગશુઈ અનુસાર, ડ્રીમકેચર રાખવા માટે શ્રેષ્ઠ દિશા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા છે. આ સિવાય તમે તેને બાળકોના બેડરૂમમાં પણ મૂકી શકો છો.

આ પણ વાંચો: Dream Interpretation: સપનાંમાં મૃત્યુ જોવાથી વધે છે ઉંમર? જાણો બીમાર વ્યક્તિની મોત દેખાવાનો શું છે અર્થ



આ જગ્યાએ લગાવવું નહિ

ફેંગશુઈ અનુસાર ડ્રીમકેચરને રસોડામાં કે બાથરૂમમાં ક્યારેય ન રાખવું જોઈએ. આમ કરવાથી તેની નકારાત્મક અસરો જોવા મળે છે.
First published:

Tags: Dharm Bhakti, Dream astrology