Home /News /dharm-bhakti /ASTRO: નિયતિ પલટ રાજયોગથી આ પાંચ રાશિના જાતકોના જીવનમાં થશે ધનલાભ, અચાનક થઈ શકે છે મોટી કમાણી
ASTRO: નિયતિ પલટ રાજયોગથી આ પાંચ રાશિના જાતકોના જીવનમાં થશે ધનલાભ, અચાનક થઈ શકે છે મોટી કમાણી
જ્યોતિષ શાસ્ત્ર
ફેબ્રુઆરીમાં ગ્રહની ચાલમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. શનિદેવે 17 જાન્યુઆરીના રોજ રાશિ પરિવર્તન કર્યું છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં શુક્ર મીન રાશિમાં બિરાજમાન થશે, તો ગુરુ પોતાની જ રાશિમાં ગોચર કરી રહ્યા છે.
Niyati Palat Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમામ ગ્રહ નિશ્ચિકત સમયે ગોચર કરે છે. આ રાશિ પરિવર્તન દરમિયાન શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. ફેબ્રુઆરીમાં ગ્રહની ચાલમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. શનિદેવે 17 જાન્યુઆરીના રોજ રાશિ પરિવર્તન કર્યું છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં શુક્ર મીન રાશિમાં બિરાજમાન થશે, તો ગુરુ પોતાની જ રાશિમાં ગોચર કરી રહ્યા છે. ગુરુ અને શુક્ર એક જ રાશિમાં ગોચર કરી રહ્યા હોવાથી નિયતિ પલટ રાજયોગનું નિર્માણ થશે. આ કારણોસર પાંચ રાશિના જાતકોમાં સકારાત્મક બદલાવ જોવા મળશે.
મેષ (Aries)
મેષ રાશિના જાતકો માટે આ નિયતિ રાજયોગ લાભકારક સાબિત થશે. શનિદેવની અસરથી નસીબ સાથ આપશે. બેરોજગારોને નોકરી માટે રજૂઆત મળી શકે છે. નોકરિયાત વર્ગની બઢતી થવાની સંભાવના રહેલી છે. વેપારીઓને આ સમયગાળામાં વિશેષ લાભ થશે. આકસ્મિત ધનલાભ થઈ શકે છે.
મિથુન (Gemini)
મિથુન રાશિના જાતકોની કુંડળીમાં રાજયોગ દસમાં સ્થાન પર છે. લગ્નજીવનને સુખમયી બનાવવાની કોશિશ કરવામાં આવશે અને લવલાઈફ અનુકૂળ રહેશે. નોકરિયાત વ્યક્તિઓને કામમાં આનંદ મળશે. વેપારીઓને આ સમયે સારી ડીલ મળી શકે છે. આરોગ્યમાં સુધારો જોવા મળશે.
કર્ક (Cancer)
કર્ક રાશિના જાતકોની કુંડળીમાં ગુરુ અને શુક્રની યુતિ બની રહી છે. આ દરમિયાન તમે વાહન ખરીદવા અંગે વિચારી શકો છો. સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. ગુરુના પ્રભાવથી તમે માંગલિક કાર્યોમાં શામેલ થઈ શકો છો. શેરબજારમાં ધનલાભ થઈ શકે છે. માતા પિતાનું આરોગ્ય સારું રહેશે.
કન્યા (Virgo)
કન્યા રાશિના જાતકો માટે નિયતિ પલટ રાજયોગ ખૂબ જ અનુકૂળ રહેશે. ગુરુ અને શુક્રની યુતિ સપ્તમ ભાવમાં બનશે. આ સમયે આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. કાયદાકીય બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે. દાંપત્ય જીવનમાં ખટરાગ સમાપ્ત થશે. ભાગીદારીના કામમાં સફળતા મળી શકે છે અને સામાજિત પ્રતિષ્ઠામાં વધારો થશે.
નિયતિ પલટ રાજયોગ આર્થિક રૂપે ફાયદાકરાક રહેશે. આ યુતિ પંચમ ભાવમાં રહેશે. જે ઉન્નતિ, વિવાહ અને ધનલાભનું સ્થાન માનવામાં આવે છે. તમારી લવલાઈફ સારી રહેશે. મોટા ભાઈની મદદથી ધનલાભ થઈ શકે છે. દંપતીના જીવનમાં સંતાન સુખનો યોગ બની રહ્યો છે.
" isDesktop="true" id="1326244" >
નોંધ-
આ લેખમાં જે પણ જાણકારી આપવામાં આવી છે, તેની કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. આ માહિતી વિભિન્ન માધ્યમ, પંચાંગ, ધાર્મિક માન્યતા, ધર્મગ્રંથમાંથી એકત્રિત કરવામાં આવી છે. આ માહિતીને માત્ર સૂચના સમજવી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર