Home /News /dharm-bhakti /શામળાજીમાં ધામધૂમથી ઉજવાશે જન્માષ્ટમી, જાણો - પૂરા દિવસનો કાર્યક્રમ

શામળાજીમાં ધામધૂમથી ઉજવાશે જન્માષ્ટમી, જાણો - પૂરા દિવસનો કાર્યક્રમ

શામળાજી મંદિર - જન્માષ્ટમી ઉજવણીનો કાર્યક્રમ

અરવલ્લી જીલ્લાના સુપ્રસિધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે અરવલ્લી જીલ્લાના સુપ્રસિધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આઠમના દિવસે વહેલી સવારથી જ શામળાજી મદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. અહીં ભગવાનની મંગળા આરતી બાદ ભગવાન ગદાધર કાળીયા ઠાકોરનો ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરીને પંચામૃત દ્વારા અભિષેક કરવામાં આવે છે. આ પંચામૃતમાં ઘી, દૂધ, દહીં, માખણ અને સાકર જેવી સામગ્રી મિક્સ કરીને અભિષેક કરવામાં આવશે, આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરી પોતાને ધન્ય અનુભવશે.

દેશભરમાં કાળીયા ઠાકોરથી જાણીતા પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીના શ્રી ગદાધર વિષ્ણુ મંદિરે કૃષ્ણ જન્મોત્સવ શ્રધ્ધા-ઉમંગભેર ઉજવવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ અને ભક્તજનો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વને ઉજવવા શામળીયાના હજારો ભક્તોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહયો છે. અહીં મટકી ફોડ, શોભાયાત્રા સહિત ભગવાન કૃષ્ણના જન્મને વધાવી લેવા ભારે થનગનાટ વર્તાઈ રહયો છે. તો જોઈએ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનો પૂરો કાર્યક્રમ.



શામળાજી મંદિર - જન્માષ્ટમી ઉજવણીનો કાર્યક્રમ

- યાત્રાધામ શામળાજીમાં ૨૪ ઓગસ્ટ શનિવારે જન્માષ્ટમીની ઉજવણી થશે

- જન્માષ્ટમી પ્રસંગે ઠાકોરજીના દર્શનનો સમય આ પ્રમાણે રહેશે

- મંદિર ખુલશે સવારે ૬.૦૦ કલાકે

- મંગળા આરતી સવારે ૬.૪૫ કલાકે

- શણગાર આરતી સવારે ૯.૧૫ કલાકે

- મંદિર બંધ થશે સવારે ( રાજભોગ ધરાવાશે ) સવારે ૧૧.૩૦ કલાકે

- રાજભોગ આરતી બપોરે ( મંદિર ખુલશે ) ૧૨.૧૫ કલાકે

- મંદિર બંધ થશે બપોરે ( ઠાકોરજી પોઢી જશે ) ૧૨.૩૦ કલાકે

- મંદિર ખુલશે બપોરે ( ઉત્થાપન ) ૨.૧૫ કલાકે

- સંધ્યા આરતી સાંજે ૭.૧૫ કલાકે

- કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે રાત્રે ૧૨.૦૦ કલાકે

- જન્મોત્સવ આરતી રાત્રે ૧૨.૩૦ કલાકે

- મહાભોગ રાત્રે ૧૨.૪૫ કલાકે

- શયન આરતી રાત્રે ૧.૦૦ કલાકે

- મંદિર મંગલ રાત્રે ( મંદિર બંધ ) ૧.૧૫ કલાકે

- રવિવારે બીજા દિવસે નંદમહોત્સવ અને લાલજી ભગવાનના પારણાં ઝુલાવાશે
First published:

Tags: Dharm Bhakti, Janmashtami festival