Home /News /dharm-bhakti /સાંજે દીવો પ્રગટાવતી વખતે કરો આ ચાર લીટીના જાદુઇ મંત્રનો જાપ, ધન-સંપદામાં થશે વધારો
સાંજે દીવો પ્રગટાવતી વખતે કરો આ ચાર લીટીના જાદુઇ મંત્રનો જાપ, ધન-સંપદામાં થશે વધારો
ધાર્મિક માન્યતાઓ અનુસાર, મંત્રોના જાપથી જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે.
Pooja Niyam : એવી માન્યતા છે કે જે રીતે દીવો અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે. એ જ રીતે ભગવાનની સામે દીવો પ્રગટાવવાથી જીવનનો અંધકાર પણ દૂર થઈ જાય છે. મનુષ્યના જીવનમાંથી નકારાત્મકતા, ગરીબી, રોગ, દુઃખ દૂર થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.
Mantra Jaap: હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં દરરોજ સવારે અને સાંજે પૂજા-પાઠ કરવામાં આવે છે અને આ પૂજા પાઠમાં દીવો પ્રગટાવવો ફરજિયાત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે કારણ કે દીવાને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ ઘરની અંદર પ્રવેશી શકતી નથી.
દીવાની ઉપર પ્રગટેલી જ્યોતિ ઉન્નતિ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે વિશેષ મંત્રનો જાપ કરવો લાભકારક જણાવવામાં આવ્યો છે. તે કયો મંત્ર છે? આ વિશે અમે તમને જણાવીશું.
હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય કરવા માટે મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારનું શુભ કાર્ય કરતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જરૂરી માનવામાં આવે છે. આ જ રીતે જો સાંજના સમયે આપણે ઘરમાં દીવો પ્રગટાવીએ તો તેના માટે પણ પુરાણોમાં કેટલાંક મંત્રો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રોના ઉચ્ચારણથી જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે.
હિન્દુ માન્યતાઓ અનુસાર, દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવામં આવે તો તેનાથી મનુષ્યને લાભ પ્રાપ્ત થાય છે. આ મંત્રનો અર્થ એ છે કે આપણે જે દીવો પ્રગટાવ્યો છે, તેનાથી આપણું શુભ થાય, કલ્યાણ થાય, આરોગ્યની પ્રાપ્તિ થાય, રોગોનો નાશ થાય અને દીવો પ્રગટાવવાથી ધન-સંપદામાં વૃદ્ધિ થાય. આપણા શત્રની બુદ્ધિનો અંત થાય. તેમને સદ્બુદ્ધિ મળે અને બ્રહ્મ સ્વરૂપ આ દીવો વ્યક્તિના પાપોનો નાશ કરે.
એવી માન્યતા છે કે જે રીતે દીવો અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે. એ જ રીતે ભગવાનની સામે દીવો પ્રગટાવવાથી જીવનનો અંધકાર પણ દૂર થઈ જાય છે. મનુષ્યના જીવનમાંથી નકારાત્મકતા, ગરીબી, રોગ, દુઃખ દૂર થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર