Chanakya Niti : આવા લોકોથી માતા લક્ષ્મી રહે નારાજ છે, તેમના ઘરમાં હંમેશા રહે છે પૈસાની તંગી
Chanakya Niti : આવા લોકોથી માતા લક્ષ્મી રહે નારાજ છે, તેમના ઘરમાં હંમેશા રહે છે પૈસાની તંગી
ચાણક્ય અનુસાર આ રીતે કરી શકાય છે લક્ષ્મી માતાને પ્રસન્ન (ફાઈલ તસવીર)
આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) એ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં કેટલીક એવી આદતોનો ઉલ્લેખ કર્યો છે, જેકોઈ વ્યક્તિમાં તે આદતો હોય તો તેને ક્યારેય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી.
વ્યક્તિ તેની આદતો (Habits) થી જ સારો અને ખરાબ કહેવાય છે. સારી આદતો અપનાવવાથી તે લોકો માટે પ્રેરણારૂપ બને છે એટલું જ નહીં, સન્માન અને ખ્યાતિ પણ મેળવે છે. બીજી તરફ ખોટી આદતોથી, વ્યક્તિ પોતે બનાવેલી વસ્તુઓનો પણ નાશ કરે છે. આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) એ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં કેટલીક એવી આદતોનો ઉલ્લેખ કર્યો છે, જેકોઈ વ્યક્તિમાં તે આદતો હોય તો તેને ક્યારેય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી. તેની આ આદતો અલક્ષ્મીને આમંત્રણ આપે છે, જેના કારણે પરિવારમાં નકારાત્મક વાતાવરણ સર્જાય છે. માતા લક્ષ્મી ક્યારેય આવી જગ્યાઓ પર નથી રહેતા અને ત્યાં દરિદ્રતા રહે છે. જો તમે પણ જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માંગો છો, તો કેટલીક આદતોને ક્યારેય વિકસિત ન થવા દો.
પૂજા પાઠ ન કરવાની ટેવ
પૂજા કરવાથી આપણા વિચારો શુદ્ધ થાય છે. તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે એટલા માટે દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ. જે લોકો પૂજા નથી કરતા તેમના ઘર અને મનમાં નકારાત્મકતા રહેવા લાગે છે. માતા લક્ષ્મી ક્યારેય નકારાત્મક જગ્યાએ નથી રહેતી.
અસ્વચ્છ રહેતા લોકો
માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે. જે લોકો ગંદા કપડા પહેરે છે, દાંત સાફ નથી કરતા, ઘરને ગંદુ રાખે છે, તેમના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ક્યારેય નથી થતો. આવા લોકોના ઘરમાં બીમારીઓ વિકસે છે અને તેમને પૈસાની ખોટ સહન કરવી પડે છે. જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો ઘર અને શરીરની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
જે લોકો ઝઘડાખોર સ્વભાવના હોય છે તેમનાથી માતા લક્ષ્મી અસંતુષ્ટ રહે છે, તેમના ઘરમાં હંમેશા લડાઈ અને ઝઘડાનું વાતાવરણ રહે છે. આવા લોકોના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા ક્યારેય નથી રહેતી. જો તમે મા લક્ષ્મીને બોલાવવા માંગતા હોવ તો પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ જાળવી રાખો.
જેઓ વૃદ્ધોનું અપમાન કરે છે, અસહાય લોકોને પરેશાન કરે છે, તેમનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. આવા ઘરમાં સમસ્યાઓનું ચક્ર ચાલતું જ રહે છે અને સુખનો કોઈ વાસ રહેતો નથી. તેથી તમારા ઘરના વૃધ્ધો અને વડીલોને માન આપતા શીખો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર