Home /News /dharm-bhakti /Chanakya Niti : પુરુષના સાથે રહેવા છતાં આવી મહિલાઓની ઇચ્છા રહી જાય છે અધૂરી, ક્યારે નથી થતી સંતુષ્ટ
Chanakya Niti : પુરુષના સાથે રહેવા છતાં આવી મહિલાઓની ઇચ્છા રહી જાય છે અધૂરી, ક્યારે નથી થતી સંતુષ્ટ
ચાણક્ય નીતિ
Chanakya Niti : આચાર્ય ચાણક્યએ (Chanakya Niti) સ્ત્રીઓની તે ભૂલ વિશે જણાવ્યું છે જે તે પુરુષ સાથે રહીને કરે છે અને પછી આજીવન પસ્તાવો કરે છે. નીતિશાસ્ત્રમાં (Niti Shastra) જણાવવામાં આવ્યું છે કે આવી સ્ત્રીઓની ઇચ્છાઓ (wish of a woman) અધૂરી રહી જાય છે.
Chanakya Niti : આચાર્ય ચાણક્ય મહાન અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ માનવામાં આવે છે. સામાન્ય જીવનમાં પણ નીતિ શાસ્ત્રમાં જણાવવામાં આવેલી નીતિઓનો લાભ લઇ શકાય છે. નીતિ શાસ્ત્રમાં આચાર્ય ચાણક્યએ એક સ્ત્રીની તે ભૂલો વિશે જણાવ્યું છે કે જે તે જીવનમાં કરે છે અને પછી પસ્તાવો કરે છે.
વૃક્ષ ગમે તેટલું ઉંચુ હોય, નદી કિનારે હશે તો ગમે ત્યારે ધરાશાયી થશે
આચાર્ય ચાણક્યએ જણાવ્યું કે જે વૃક્ષ નદીના કિનારે ઉભુ છે તે ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે. તેના મૂળ ગમે ત્યારે જમીનની પકડ છોડી દેશે. વહેતા પાણીના કારણે જમીનનું ધોવાણ હંમેશા થતું રહે છે.
તેવામાં જ્યારે ધોવાણ વધી જાય છે તો વિશાળ વૃક્ષ પણ ધરાશાયી થઇ જાય છે. એટલું જ નહીં જ્યારે પણ પૂર આવે તો આવા વૃક્ષના ધોવાઇ જવાની આશંકા હંમેશા બની રહે છે. હકીકતમાં આચાર્ય ચાણક્યનું કહેવું છે કે વ્યક્તિ જીવનમાં ગમે તેટલો મોટો કેમ ન બની જાય તેને ઘમંડ ન આવવો જોઇએ કારણ કે ક્યારે કેવો સમય આવશે તે કોઇ નથી જાણતું.
સ્ત્રીનું પુરુષ પર આશ્રિત થવું
આચાર્ય ચાણક્ય જણાવે છે કે પરિવારની સ્ત્રી અથવા પત્નીને પારકા પુરુષ પર આશ્રિત ન છોડવી જોઇએ. ઘણા ધર્મ ગ્રંથોમાં પણ સલાહ આપવામાં આવી છે કે સ્ત્રીને કોઇ અન્ય પર આશ્રિત ન છોડવી જોઇએ. આમ કરવાથી તેનું પોતાનું અસ્તિત્વ ખતમ થઇ જાય છે અને તેની તમામ ઇચ્છાઓ અધૂરી રહી જાય છે. તમામ કાબેલિયત હોવા છતાં પણ આવી સ્ત્રીઓ ક્યારેય તે મુકામ હાંસેલ નથી કરી શકતી જેના તે યોગ્ય હોય છે. હકીકતમાં આચાર્ય ચાણક્યનું કહેવું છે કે સ્ત્રીને શિક્ષિત અને મજબૂત બનાવો. તેને આત્મનિર્ભર બનાવો. જ્યારે તે ખુદ પૈસા કમાશે તો તેને કોઇની સામે હાથ નહીં લંબાવવો પડે.
આચાર્ય ચાણક્ય કહે છે કે એક મંત્રી, સામાન્ય લોકોને મળે છે અને તેના દુખને એક રાજા કરતા વધુ સારી રીતે સમજે છે અને તેના જ આધારે રાજાને નિર્ણય લેવામાં મદદ કરે છે.
એક સાચો અને યોગ્ય મંત્રી ન હોય તો રાજાની રાજાશાહી ગમે ત્યારે જઇ શકે છે. જનતાના સુખનું ધ્યાન ન રાખવામાં આવે તો ગમે ત્યારે જન વિરોધનો સામનો કરવો પડી શકે છે. આ નીતિને તમે તમારા જીવનમાં પણ લાગુ કરી શકો છો કે સાચી સલાહ આપનાર મિત્ર અથવા ગુરુ જરૂર સાથે હોવો જોઇએ જે તમને જણાવે કે શુ સાચુ છે અને શુ ખોટુ.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર