ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. માં દુર્ગાની પૂજા અર્ચના અને આરાધના કરવાનો આ અનેરો તહેવાર છે. માં દુર્ગાના નવ દિવસના નવ સ્વરૂપ ભક્તો અને સિદ્ધાંતોને અનંત ફળ આપનારી છે. તેમની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે.
દુર્ગા સપ્તશતીમાં બતાવવામાં આવેલા વર્ણન અનુસાર, મહિષાસુરના વધથી પ્રસન્ન અને નિર્ભય થઈ ગયેલા ત્રિદેવ સહિત દેવતાઓએ પ્રસન્ન ભગવતી પાસે એવા કોઈ અમોધ ઉપાયની યાચના કરી, જે સરળ હોય અને કઠિનથી કઠિન મુશ્કેલીમાં બહાર લાવે. 'હે દેવી! જો તે ઉપાય ગોપનીય હોય તો પણ કૃપા કરી અમને કહો'
માં ભગવતીએ પોતાના જ 32 નામોની માળાના એક અદભૂત ગોપનીય રહસ્યમય કિંતુ ચમત્કારી જપનો ઉપદેશ આપ્યો, જેને કરવાથી મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતી, રાજ્યભય અથવા દારૂણ વિપત્તિથી ગ્રસ્ત મનુષ્ય પણ ભયમુક્ત અને સુખી થઈ જાય છે. માં દુર્ગાને પોતાના આ 32 નામ અતિ પ્રિય છે. તેને સાંભળી તે પુલકિત થઈ જાય છે.
દેહશુદ્ધિ બાદ કુશ કે કમ્બલના આસન પર બેસી પૂર્વ તરફ કે ઉત્તર તરફ મોંઢુ રાખી ઘીના દીવાની સામે આ નામની 5/11/21 માળા નવ દિવસ કરી જગત માતા પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવાની યાચના કરવી જોઈએ.