Home /News /dharm-bhakti /Astrology: વિધવા અને અપરણિત મહિલાઓ શા માટે નથી લગાવતી સિંદૂર, આ પાછળ છુપાયેલું છે વૈજ્ઞાનિક કારણ
Astrology: વિધવા અને અપરણિત મહિલાઓ શા માટે નથી લગાવતી સિંદૂર, આ પાછળ છુપાયેલું છે વૈજ્ઞાનિક કારણ
અપરિણીત મહિલાઓ શા માટે નથી લગાવતી સિંદૂર?
Astrology: સનાતન ધર્મમાં વિવાહિત મહિલાઓ સિંદૂર પુરે છે. સિંદૂર પૂર્વની પરંપરા યુગો જૂની છે. પરંતુ શું તમે જાણો છો અપરિણીત કે વિધવા મહિલાઓ શા માટે સિંદૂર નથી લગાવતી? તો ચાલો જાણીએ આ પાછળનું વૈજ્ઞાનિક કારણ...
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં સિંદૂર ભરવું ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિધિ પછી દુલ્હન પોતાના પતિના જીવિત રહેવા સુધી દરરોજ માથામાં સિંદૂર પુરે છે. સિંદૂર સોળ શ્રુંગારમાંથી એક માનવામાં આવે છે. સનાતન ધર્મમાં વિવાહિત મહિલાઓ સિંદૂર પુરે છે. સિંદૂર પૂર્વની પરંપરા યુગો જૂની છે. રામાયણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા સીતા અને પતિ રામ માટે સિંદૂર ભરતી હતી. વિવાહિત મહિલાઓ દ્વારા પોતાના માથામાં સિંદૂર પુરે છે તો એમનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ જ રીતે સિંદૂર લગાવવા પાછળ ઘણા વૈજ્ઞાનિક લાભ છે.
છુપાયેલું છે વૈજ્ઞાનિક કારણ
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ માથાના જે ભાગ પર સિંદૂર લગાવવામાં આવે છે તે ખૂબ જ નરમ હોય છે. આ સ્થાનને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. સિંદૂરમાં પારો હોય છે, જે દવાની જેમ કામ કરે છે. તેમજ તે મહિલાઓના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેના કારણે મહિલાઓ પણ તણાવમુક્ત રહે છે અને તેમને અનિદ્રાની સમસ્યા નથી થતી.
આ બાબતોથી એક પ્રશ્ન ચોક્કસપણે ઉભો થાય છે કે સિંદૂર લગાવવાના આટલા બધા ફાયદાઓ પછી પણ વિધવા અને અપરિણીત છોકરીઓ સિંદૂર કેમ નથી ભરી શકતી. જણાવી દઈએ કે તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. માથામાં સિંદૂર ભરવાથી જાતીય ઉત્તેજના વધે છે, જે વિધવા અને કુંવારી છોકરીઓ માટે યોગ્ય નથી. તેથી જ વિધવાઓ અને અપરિણીત છોકરીઓ માટે માંગમાં સિંદૂર ભરવાની મનાઈ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.પાલન કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર