Home /News /dharm-bhakti /Astro Tips: પહેલી રોટલી ગાય અને અંતિમ રોટલી કુતરા માટે, જાણો આ કરવા પાછળનું શું છે કારણ
Astro Tips: પહેલી રોટલી ગાય અને અંતિમ રોટલી કુતરા માટે, જાણો આ કરવા પાછળનું શું છે કારણ
જ્યોતિષ શાસ્ત્ર રોટલી
Astrology First and Last Roti: રોટલી બનાવતી સમયે પહેલી રોટલી ગાય અને અંતિમ રોટલી કુતરા માટે બનાવવામાં આવે છે. એવામાં એ જાણવાની કોશિશ કરીએ કે એવું શા માટે કરવામાં આવે છે.
તમે જોયું હશે કે ઘરમાં રોટલી બનાવતી સમયે પહેલી રોટલી ગાય અને અંતિમ રોટલી કુતરા માટે બનાવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ થવા અને કરવા પાછળનું કારણ શું છે, આ કોઈ નથી જાણતું. એવામાં એ જાણવાની કોશિશ કરીએ છે કે ઘરમાં સૌથી પહેલી રોટલી ગાય અને અંતિમ રોટલી કુતરા માટે શા માટે બનાવવામાં આવે છે.
હિન્દૂ ધર્મમાં ગાયને માતાની સંજ્ઞા આપવામાં આવી છે. પ્રાચીન કાળમાંથી જ ગાયને ખુબ પવિત્ર માનવામાં આવી રહ્યું છે અને એમની પૂજા પણ કરવામાં આવે છે. ગાયની પૂજા અને સેવા કરવાથી ઘણા પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એવામાં ગાયને રોટલી ખવડાવવાથી તમામ દેવી-દેવતાઓને પણ ભોગ લગાવવામાં આવે છે.
જો કે, ભગવાન અને દેવી-દેવતાઓને ખવડાવવા પહેલા ભોગ લગાવવામાં આવે છે. એવામાં પહેલી રોટલી ગાય માટે બનાવવામાં આવે છે. એવું કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ઘરમાં કહેલની સ્થિતિ બની જાય અને દિવસરાત પારિવારિક સભ્યો વચ્ચે લડાઈ-ઝગડા થતા રહે છે. પરિવારમાં સુખ-શાંતિનો અભાવ છે તો એવામાં સવારે પહેલી બનાવેલી રોટલી ગાય અને છેલ્લી બનાવેલી રોટલી કુતરાને ખવડાવો. આ કહેલ અને લડાઈ-ઝગડાની સમસ્યા ખતમ થઇ જશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ કે રાહુ-કેતુ અશુભ હોય તો ઘરમાં બનાવેલી છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. આનાથી તમામ પ્રકારના દોષોની અસર ઓછી થાય છે.
ઘરે સવારે બનેલી પહેલી રોટલીના ચાર ટુકડા કરવા જોઈએ. પહેલો ટુકડો ગાય, બીજો ટુકડો કૂતરા, ત્રીજો ટુકડો કાગડા અને ચોથો ટુકડો ક્રોસરોડ્સ પર મૂકવો જોઈએ. આમ કરવાથી પૈસા મળવા લાગે છે અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર